SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશમું]. આ સર્વદેવસૂરિ ૨૩૫ આજે આ સ્થાન નદી કિનારે વિદ્યમાન છે. ચમત્કારી મનાય છે. જેન-અજેને સૌ કોઈ અત્યંત શ્રદ્ધાથી તેને આરાધે છે. આ સ્થાનને ઓગણીસમી શતાબ્દીમાં જીર્ણોદ્ધાર થયો છે. યક્ષ— આ મંદિરમાં ક્ષેમસિંહ નામે યક્ષરાજની મૂર્તિ છે, તેની સ્તુતિ આ રીતે કરેલી મળે છે " श्रीनाभेयजिनाधिपांहियुगलीसेवानिबद्धादरो भूदेवाहवयसंभवो विजयते यक्षाधिनाथो भुवि । क्षुद्रोपद्रवविद्रुतिव्यतिकराध्यक्षप्रभावोदयः स्फातेर्धाम स रामसीति मुकुटः श्रीक्षेमसिंहाह्वयः ।।" (–આ. મુનિસુંદરસૂરિની ગુર્નાવલી, વડગચ્છાચાર્ય ગુણસમુદ્ર ની સં૦ ૧૪૧૪માં લખાયેલી શાંતિનાથચરિત્રની પુપિકા, જૈન તીર્થોને ઇતિહાસ, જેનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૫) ભરેલ– ગુજરાતની ઉત્તર દિશામાં વાયડ ગામ છે, જ્યાંથી વાયડગચ્છ અને વાયડજ્ઞાતિની ઉત્પત્તિ થયેલી છે. અહીં પ્રાચીનકાળમાં ભ૦ મહાવીરસ્વામીનું ભવ્ય દેરાસર હતું. વાયડ પંથકના મંત્રી નીંબાએ તેને જીર્ણોદ્ધાર કરાવી સં. ૬ (વનરાજ સંવત્)માં વાયડગ૭ના આચાર્ય શ્રી જીવદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. તે જ આચાર્ય. શ્રીના ઉપદેશથી મહાસ્થાનના શેઠ લલ્લે જૈનધર્મ સ્વીકારી પિમ્પલકનગરમાં મેટ જિનપ્રાસાદ બંધાવ્યું હતું અને તેની એક દેરીમાં ૧. સંવારે પ્રવૃત્તિ સષg વર્ષ પૂર્વતઃ . गतेषु सप्तमस्यान्तः प्रतिष्ठा ध्वज कुम्भयोः ॥ પ્રભાવક રિત-જીવદેવસૂરિ પ્રબંધ સં. ૬થી વનરાજ સંવત (વિ.સં૮૨૭) અથવા વિ. સં. ૧૦૦૬ લેવાય છે. આ છવદેવસૂરિ મુસલમાનેએ સં૦ ૭૮૦ અથવા સં. ૮૩૨માં ગુજરાત પર હુમલો કર્યો તે પછી અને કવિશ્વર ધનપાલ વિ. સં. ૧૦૭૮ની પહેલાં વિદ્યમાન હતા. (-પ્રક. ૩૪, પૃ. ૫૪૬ થી ૫૫૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy