SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २२० જૈન પરંપરાનો ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રચી હતી. બીજા અંગસૂત્રે ઉપર સુબેધ ટીકાઓની ઘણી જરૂર હતી. આ અભયદેવસૂરિએ શાસનદેવીની દૈવી પ્રેરણાથી આયંબિલની તપસ્યા ચાલુ રાખીને સહેગથી નવ અંગસૂત્રે પર ટીકા રચી, જેમાં સંવિજ્ઞવિહારી આ૦ અજિતદેવસૂરિના શિષ્ય કિયાનિષ્ઠ વિદ્વાન પં. ચદેવગણિએ મેટી મદદ કરી હતી. તે સમયના વૃદ્ધ શ્રુતધર નિર્વતિકુલના આ દ્રોણચાર્ય વગેરે ગુણવાન શાસ્ત્રએ તે વૃત્તિઓને શુદ્ધ કરી હતી અને તે પછી શ્રાવકોએ તેની પ્રતિઓ લખાવી હતી. આચાર્યશ્રીને એક દૈવી આભૂષણ મળેલું, જેને રાજા ભીમદેવે ત્રણ લાખ કન્મ આપીને ખરીદી લીધું હતું. તે રકમ નવાંગવૃત્તિઓની નકલ કરાવવામાં ખપ લાગી હતી. પાટણ, ખંભાત, આશાવલ અને ધોળકાના જેનાએ નવાંગવૃત્તિની ઘણી નકલો લખાવી હતી. ધોળકાને જીણું શાહ બહુ નિર્ધન હતું. તે આચાર્યશ્રીની આજ્ઞાથી પૂજા-પાઠ અને જાપ કરવાથી સુખી થયે હતું. તે સેરઠને દંડનાયક બન્યું હતું. તેણે આ અભયદેવસૂરિને ધોળકામાં પધરાવી તેમના કરકમલથી પિતે તૈયાર કરેલાં બે જિનાલયોમાં ભ૦ આદિનાથ તથા ભવ પાર્શ્વનાથની ( કટીની) પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ધોળકામાં યતિઓની જકાત બંધ કરાવી. નવાગવૃત્તિની ઘણું પ્રતિએ લખાવી તથા શત્રુંજયતીર્થનો સંઘ કાઢો હતો. (-ભક્તામરવૃત્તિ, સં૦ ૧૪૨૬) તે પછી આચાર્યશ્રી સં. ૧૧૩૫ કે સં૦ ૧૧૩૯ માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ અભયદેવસૂરિના સ્વર્ગવાસના સમય અને સ્થાનના વિવિધ ઉલ્લેખ મળે છે. તેમના સ્વર્ગવાસની સાલ સં. ૧૧૩પ અને સં૦ ૧૧૩૯ મળે છે. તેમના સ્વર્ગવાસનું સ્થાન “પ્રભાવકચરિત્રમાં પાટણ, મહ૦ ક્ષમાકલ્યાણની “પટ્ટાવલીમાં કપડવંજ અને વીર વંશાવલી પૃ૦ ૧લ્પ માં ગોપનગર સ્વર્ગભૂમિ બતાવેલ છે. તેમની પાટે આ પ્રસન્નચંદ્રસૂરિ આચાર્ય થયા. તેમને ઉ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy