SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ભાગ્યશાળીઓ પિતાને ત્યાં પણ આ દિવસ અને ઘડી આવે એવી અભિલાષા રાખતાં વિસર્જિત થવા લાગ્યાં. ભાટ-ચારણેએ પણ પિતાના આશીવંદના કેશમાં વિમરુશ્રીસુકમાતમુની પુણ્ય નામાવલિ ઊમેરી. આ તીર્થ આજે પણ અજોડ શિલ્પધામ ગણાય છે. એ જ કારણે વિમલ મંત્રી ઈતિહાસમાં અમર નામના નોંધાવી ગયેલ છે. સેમધર્મગણિએ ઉપદેશસતતિકા’માં લખ્યું છે કે, એ મંદિરને મંડપ તેમના નાના ભાઈ ચાહિલે બંધાવ્યું હતું. મંત્રી વિમલે શ્રીદેવીના નામથી શ્રીપુર વસાવ્યું, જે આજે સતરા નામે વિદ્યમાન છે. આ તીર્થની સ્થાપના પછી મહામાત્ય વીરને વંશજે પિતાને વીરવંશના તથા વિમલવંશના બતાવે છે. (જૂઓ, અબુંદ પ્રાચીન જૈનલેખ સંદેહ, લેખાંક : પ૩, ૯૨) વિમલવસહી મંદિર ભવ્ય, વિશાળ અને મને હર છે. આબૂમાં દર છ મહિને ધરતીકંપ થતું હોવાના કારણે તેનું શિખર નાનું બનાવેલું છે. એ જ કારણે આબૂ ઉપરનાં જેન તેમજ અજેન બીજાં મંદિરના શિખરે નાનાં બનાવેલાં છે. વિમલ મંત્રીએ શત્રુંજયનો સંઘ કાઢો હતો, જેમાં ચાર કરોડ સોનામહોરે ખરચાઈ હતી. વિમલ મંત્રીએ આબુ, શત્રુંજય, આરાસણ (કુંભારિયા) અને પાટણમાં વિમલવસહી મંદિર બંધાવેલાં હતાં, તે આજે પણ વિદ્યમાન છે. તેમના વંશજોએ હમીરપુરતીર્થની સ્થાપના કરી હતી. (–પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, જિનહર્ષનું વસ્તુપાલચરિત પ્ર. ૮, ઉપદેશ સપ્તતિકા ઉપ૦ ૪, વિમલપ્રબંધ, કલ્યા શ્રયમહાકાવ્ય, આ જિનભદ્રને પુરાતન પ્રબંધસંગ્રહ) વીર મહત્તમને ત્રીજો પુત્ર મહં. ચાહિલ્લ હતું. તેની પર પરામાં અનુક્રમે (૨) ચાહિલ, (૩) રાણક અને (૪) નરસિંહ થયા. ઠ૦ નરસિંહે સં૦ ૧૨૦૦ના જેઠ વદિ ૧ ને શુક્રવારે વિમલવસહી (દેરી નં. ૧૧)માં બૃહદ્ગછના આ૦ નેમિચંદ્રસૂરિના હાથે ભ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy