SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશમું ] આ ઉદ્દઘોતનસુરિ ૧૬૧ મળતાં કેદમાં પૂર્યો, તે માળવાનો રાજા બન્યું નથી પણ ભેજ નાને હતો તેથી માળવાનું તંત્ર તેણે ચલાવ્યું. તેના ત્રણ પુત્ર માળવાના રાજા બન્યા હતા. આથી સિંધુલનું નામ રાજાવલીમાં દાખલ થયેલું મળે છે. તેણે ગુજરાત પર ચડાઈ કરી ત્યારે યુવરાજ ચામુંડે તેને પાછો હઠાવ્યો હતો. તે તપસ્વી કૃષ્ણર્ષિને ભક્ત હતો. તેના રાવત કૃષ્ણ શ્રીખમા ઋષિ પાસે દીક્ષા લીધી હતી. તેમની દીક્ષામાં કુદરતી રીતે પુષ્પવૃષ્ટિ થઈ હતી. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૭૯) તે સં. ૧૦૭૫ માં મરણ પામે. કવિ પરિમલ આ રાજાને આશ્રિત કવિ હતા, જેણે “નવસાહસકચરિત” રચ્યું છે; જે ત્રીજે કાલિદાસ કહેવાય છે. ૧. કાલિદાસ અનેક થયા છે અને રાજશેખર પણ એક કરતાં વધુ થયા છે– (૧) પુરાવો વિઝ: શા ટૂ: શાસ્ત્રવિત્તા धनुर्वेदं चौरशास्त्रं रूपके द्वे तथाऽकरोत् । तस्याभवन्नरपतेः कविरात्मवर्णः श्रीकालिदास इति योऽप्रतिमप्रभावः । दुष्यन्तभूपतिकथां प्रणयप्रतिष्टां रम्याभिधेयचरितां सरसां चकार । વિ. સં. ૨૦૦ની આસપાસમાં શાલિવાહન ગૌતમીપુત્ર શૂદ્રક રાજા થયે હતો. તેણે ધનુર્વેદ, ચૌરશાસ્ત્ર, મૃછકટિક તથા પદ્મઘાભૂત બનાવ્યાં તેની સભાના બ્રાહ્મણ કવિ કાલિદાસે “અભિધાનશાકુંતલ' વગેરે (ત્રણ નાટકે) રચ્યાં. (જૂઓ, સમ્રાટ ચંદ્રગુપ્તનું “કૃષ્ણચરિત') (૨) સમ્રાટ ચંદ્રગુપ્તને સભાકવિ હરિણ, જેને કાલિદાસની ઉપાધિ હતી તેણે રઘુવંશ, કુમારસંભાવ, મેઘદૂન, નલદય તથા ઋતુસંહાર (પાંચ કાવ્યો) બનાવ્યાં. તે રઘુકાર તરીકે વિખ્યાત છે. તેણે સમ્રાટ ચંદ્રગુપ્તને (સં. ૪૪૨) કૃષ્ણચરિત્ર બનાવવામાં ઉત્સાહિત કર્યો હતો. (-સમ્રાટ સમુદ્રગુપ્તનું કૃષ્ણચરિત્ર) આ૦ હરિણિ કાલિદાસે મેઘદૂતમાં “શાવાતો મે મુનીરચનાકુત્તેિ રાપ” પદ્ય આપ્યું છે, તેથી વિદ્વાને કાર્તિક સુદિ ૧૧ ના દિવસે જયંતી મનાવે છે. વિક્રમની વિદુષી પુત્રી પ્રિયંગુમંજરી વિદ્યોત્તમા તેની પત્ની હતી. જે અંગે “રિત શ્ચિત્ વાવિરોષઃ” એ વાક્યની ઘટના પ્રસિદ્ધિ પામેલી છે. તે સમુદ્રગુપ્ત ૪૪૨, ચંદ્રગુપ્ત ૪૭૦ અને સ્કંદગુપ્ત પર૫ ના સમય સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy