SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશકું ! આ ઉદ્દઘોનસૂરિ ૧૪૯ ૬. રામદાસ–રાજ સં. ૬૭૫. તેને જયંત અને વિજયવંત નામે પુત્રો હતા. તે પૈકીને જયંત ભિન્નમાલને રાજા થયા. વિજયવંતને લહિયાણનો ગરાસ મળે. ૭. વિજયવંત—તે લેહિયાણને રાજા બને, પણ મોટાભાઈ જયંતે તેનું રાજ્ય ખૂંચવી લીધું. આથી તે પિતાના મોસાળમાં બેન્નાતટ (બેણપ) મદદ લેવા ગયે પણ ચોમાસું આવી જવાથી તે શંખેશ્વરતીર્થમાં રહ્યા. અહીં આ સર્વદેવસૂરિના ઉપદેશથી સં૦ ૭૨૩ માં જૈનધર્મપ્રેમી બન્યું. પછી મામા વજસિંહ જયંતને સમજા અને વિજયવંતને લહિયાણનું રાજ્ય પાછું મળ્યું. તેણે આ૦ સર્વદેવસૂરિને લેહિયાણમાં પધરાવી, તેમને ઉપદેશ સાંભળી, જેનધર્મ સ્વીકાર્યો. શ્રાવકનાં બાર વ્રત લીધાં અને ભ૦ કષભદેવનું મંદિર બંધાવ્યું. તેને આઠ રાણીઓ હતી અને યમલ, જાદવ, જેગે અને જયવંત એમ ચાર પુત્રો હતા. એક પછી એક ત્રણ ભાઈઓ તેની ગાદીએ આવ્યા. ૮. જયમલ–રાજ સં૦ ૭૩૫. ૯. જોગાજી –રાજ સં૦ ૭૪૧. ૧૦. જયવંત–રાજ સં. ૭૪૯ તેને ત્રણ રાણીઓ હતી અને શ્રીમલ્લ તથા વનાજી એમ બે પુત્રો હતા. તેમાંના શ્રીમલે નાગેંદ્રગ૭માં દીક્ષા લીધી અને સોમપ્રભ નામના આચાર્ય બન્યા અને વનજી પિતાજીની હયાતીમાં જ પાણીમાં ડૂબી મરણ પામ્યા. ૧૧. ભાણજી–તે સં૦ ૭૬૪ માં લહિયાણની ગાદીએ આવ્યો અને તે પછી જયંત રાજા નિર્વશ જવાથી તેને ભિન્નમાલની બાલ મળી. તેને કંઈ સંતાન નહોતું, તેથી તે એશિયાના શેઠ જયમલ ઓસવાલની પુત્રી રત્નાવતીને “પુત્ર થશે તો તેને રાજ્ય આપીશ” એવી છૂપી શરત જયમલ શેઠ સાથે કરીને પર. રત્નાવતીએ બે પુત્રોને જન્મ આપ્ય–૧. રાણે અને ૨. કુંજી. રાજા ભાણજીએ તથા રાણી રત્નાવતીએ સં. ૭૫ માં માગશર સુદિ ૧૦ ને રવિવારે શંખેશ્વરગથ્વીય આ૦ ઉદયસૂરિ પાસે બાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy