SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ચવાથી તે હારી જઈ અજમેરના કિલ્લામાં ભરાઈ ગયે. તે સં. ૧૨૫૪ (હી. સં૦ ૫૪, ઈ. સ. ૧૧૯૭)માં ફરી વાર ચડી આવ્યા. આબૂના ઘાટમાં પરમાર ધારાવર્ષ દેવ તથા ગુજરાતની સેનાને જીતી લઈ પાટણ આવ્યો અને તેણે ત્યાં પોતાની સત્તા જમાવી. આ યુદ્ધમાં ગુજરાતને સેનાપતિ જીવન માર્યો ગયે હતો, એબક કુતબૂદીન ગિઝનીના હુકમથી દિલ્હી ચલે ગયે. (તજલિમ આસીર, તબકાત ઈ નાસીરી, પૃ. ૫૨૦, પ૨૧). માળવાના પરમાર રાજા વિંધ્યવર્મા, સુભટવર્મા (સં. ૧૨૬૬) અને અર્જુનવર્મા(સં. ૧૨૬૭ થી ૧૨૭૩)એ ગુજરાત પર ચડાઈ કરી. અર્જુનવર્માએ સં. ૧૨૭૦ માં માળવાને સ્વતંત્ર બનાવ્યું અને ભરૂચને પ્રદેશ પણ પિતાને આધીન કર્યો. ' સામંત સિંહ સોલંકી સં. ૧૨૭૮ માં રાજા ભીમદેવને ઉઠાડી પાટણને રાજે બની બેઠે. તે ભરૂચને પ્રદેશ પાછા મેળવવામાં નિષ્ફળ નીવડ્યો હતો. આ દરમિયાન લુણપસાક સોલંકીએ ગભૂતા પથકમાં પિતાની માતાના નામથી સલખણુપુર વસાવ્યું, આનલેશ્વર મહાદેવ તથા સલખણેશ્વરનાં મંદિર બંધાવ્યાં અને તે અંગે ભૂમિદાન કર્યું, ત્યારે એકંદરે ગુજરાતમાં સર્વથા અરાજકતા વર્તતી હતી. લવણુપ્રસાદ તથા વીરધવલ વાઘેલાએ દાદાના નામથી ધોળકને આબાદ કર્યું ને ત્યાં પોતાની રાજગાદી સ્થાપી. તેને ચાહડ નામને બ્રાહ્મણ મંત્રી હતા. દેવગિરિના યાદવ રાજા સિઘણ તથા ભરૂચના રાજા શંખ વચ્ચે લડાઈ ચાલતી હતી, ત્યારે વિરધવલે એચિત છાપ મારી ખંભાત સુધી પ્રદેશ પિતાને તાબે કર્યો. તેણે એક નાનકડું રાજ્ય બનાવ્યું. હવે વિરધવલે માંડલના ૩ લાખની મૂડીવાળા વેપારી અને રાજા ભીમદેવના મહેતા વસ્તુપાલ-તેજપાલને, તેઓ જ્યારે શત્રુંજયની યાત્રા કરીને પાછા ફર્યા ત્યારે, સં. ૧૨૭૭ માં પિતાને મહામાત્ય બનવાને જણાવ્યું. એમ કરવામાં વિરધવલે એવી શરત પણ કબૂલ કરી કે, “જે અમે ગુસ્સો કરીને કાઢી મૂકીએ તે તમારા ત્રણ લાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy