SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશમ્ આ ઉદ્દઘોતનસુરિ ૧૩૯ અવનતિ શરૂ થઈ હતી, તેમાં કંઈક વધારે થયે, પણ રાજા સિદ્ધરાજ અને કુમારપાલે જે નક્કર રાજ્યતંત્ર ગોઠવ્યું હતું તેના આધારે તે ટકી રહ્યો. કુમારપાલને માસે ધવલ વાઘેલે નામે હતે. તેના સંતાનમાં આનાક (અર્ણોરાજ), લુણપસાક (લવણુપ્રસાદ), વીરધવલ અને વિશલદેવ એ મંડલેશ્વર હતા. તેઓ શરૂઆતમાં વાઘ પુર કે વાગસીનના ગરાસદારે હતા પછી ભીલડીના રાજા બન્યા અને છેવટે ધૂળકાના રાજા રાણક તથા મહામંડલેશ્વર બન્યા. તેમની વફાદારીથી રાજા ભીમદેવને ઘણી મદદ મળી. વીરમદેવને કુમારભક્તિમાં ધૂળકા મળ્યું હતું. ભીમદેવ વિકલ હતું, તેથી તેને શરૂઆતમાં ગાદી આપવામાં પણ સૌને એકમત નહતો, પણ આનાક વાઘેલાએ રણસિંહને મારી નાખે અને ભીમદેવને ગાદીએ બેસાડ્યો. સં૧૨૩૬ માં અજમેરને ચૌહાણ સેમેશ્વર ગુજરાત સામે પડ્યો અને તેમાં તે મરા, ત્યારથી ભીમદેવ અને પૃથ્વીરાજ ચૌહાણ (સં. ૧૨૩૬ થી ૧૨૪૯) વચ્ચે વૈર વધતું ગયું. એટલે કે ચૌહાણે સ્વતંત્ર થયા. મેવાડ પણ સ્વતંત્ર થયું હતું, પણ રાણુ સામંતસિહના ભાઈ કુમારસિહે ગુજરાતની મદદ લઈ આહડનું રાજ્ય ફરી વાર સ્થાપ્યું. દિલ્હીનો બાદશાહ એબક સં. ૧૨૫૩ માં મેરવાડાના મેરે ઉપર ચડી આવ્યું, પણ ગુજરાતની મદદ પહોં સાથોસાથ શાસ્ત્રીજી એ પણ જરૂર સમજતા હશે કે, જે બબ્બેવાર ગાદી ઉપરથી ઊતરી ગયે એ કઠપૂતળી જેવા રાજાના વર્ણન માટે પ્રબંધોએ સકારણ મૌન સેવ્યું હશે. ૧. તામ્રપત્રોમાં આનાક લૂણુપસાક અને વીરમ એ પણ રાજા ભીમદેવની વફાદાર રોલંકી પરંપરા મળે છે. આ સોલંકી પરંપરાના અને ધવલની વાઘેલા પરંપરાના લૂણુપસાક વગેરે એક જ હોય તો તત્કાલીન ઇતિહાસમાં એક નવું અજવાળું પાડે. ખાસ ધ્યાન ખેંચે એવી બીના એ છે કે, બંને પરંપરામાં લૂણુપસાકને પરમ શિવોપાસક અને ભીમદેવને અંગત પુરુષ બતાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy