SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પલીવાલગચ્છીય પ્રાચીન આચાર્યો– પલ્લીવાલગચ્છના કેટલાએક પ્રાચીન આચાર્યોને છૂટક પરિચય આ પ્રમાણે મળે છે– (૧) આ૦ દેવભદ્રસૂરિપદે આ૦ સિંહસેનસૂરિ. (૨) આ૦ મહેશ્વર–તેમણે કાલકકથા રચી છે. સ્વ. સં. ૧૨૭૪. (૩) આ૦ અભયદેવની પાટે (૪) આવ આમ્રદેવ—તેમણે “ગદ્યપ્રભાવક ચરિત્ર” રચ્યું છે. (૫) આ૦ શાંતિસૂરિ–તેઓ પ્રાકૃત ભાષામાં વિવિધ દેની રચના કરતા હતા. (–રાજગચ્છીય પટ્ટાવલી, વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ-૫, પૃ૦ ૬૫) (૬) આ અજિતદેવ—તેમણે વિચારસારપ્રકરણ” (ગાથા ઃ ૮૯) કલ્પસૂત્ર દીપિકા, પિંડવિસેહિ દીપિકા, આયરંગસુત્ત-દીપિકા, ઉત્તર ઝયણસુત્ત-દીપિકા, આરાધના, ચંદનબાલાવેલી, ચતુર્વિશતિવીશી” (ગાથા ૨૫) રચ્યાં છે. (૭) આ અજિતદેવસૂરિ શિષ્ય ૫૦ હીરાનંદ, તેમણે “ચૌબેલી પાઈ” રચી છે. પલ્લીવાલ ભટ્ટારક પટ્ટાવલી વિવિધ શિલાલેખ, ગ્રંથ-પ્રશસ્તિઓ વગેરેના આધારે પલ્લીવાલગચ્છની છેલ્લી ભટ્ટારક પટ્ટાવલી નીચે પ્રમાણે મળે છે – ૧. આ૦ શાંતિસૂરિ–તેમણે સં૦ ૧૪૫૮ ના ફાગણ વદિ ૧ ના રોજ માણવક ઓસવાલે ભરાવેલી ભ૦ સુમતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (નાહર, લેખસંગ્રહ, લેખાંક: ૧૨૩૭) સં. ૧૮૬૨ ના મહા વદિ ૪ને શુકવારે છાજેડ લખમણે ભરાવેલી ભ૦ શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (નાહર, લેખસંગ્રહ, લેખાંક: ૨૪૭૮) ૧. સં. ૧૨૯૧ ની એક તાડપત્રની પ્રતિમાં આ સિદ્ધસેન, આ પાઈલિત્ત, આમલવાદી, આ૦ બપભદિ વગેરેનાં પ્રાકૃતમાં ગદ્ય ચરિત્રો મળે છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy