SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ક I ! ચિત્રીશમું] આ વિમલચંદ્રષ્ટિ - શરત એ હતી કે–જેનોના ઉત્સવ મહોત્સવમાં વિઘ કરવું નહીં. જૈન સાધુઓની મર્યાદામાં આડખીલી કરવી નહીં, નવા જૈનાચાર્ય થાય તેમને બ્રહ્માજીના મંદિરમાં બેસાડી તેમને પટ્ટાભિષેક કરે, અને તેમને સેનાની જનેઈ આપવી વગેરે. પછી બ્રાહ્મણે અને લલ્લ શેઠે આચાર્યશ્રી પાસે જઈ ઉક્ત સુલેહની શરતે કહી સંભળાવી અને સંકટ દૂર કરવા વિનતિ કરી. આ જીવદેવસૂરિએ પ્રસન્નવદને કહ્યું કે–“તેમજ થશે.” આ તરફ ગાય પણ તરતમાં બ્રહ્માજીના મંદિરમાંથી ઊઠી શહેર બહાર ચાલી ગઈ, અને ત્યાં મરણ પામી. આમ થવાથી બ્રાહ્મણેએ જયધ્વનિ કર્યો અને ત્યારથી વાયડનગરમાં જેનો અને બ્રાહ્મણે વચ્ચે સ્નેહસંબંધ જોડાયે. બ્રાહ્મણે જૈન ધર્મના દરેકેદરેક કાર્યમાં સામેલ રહેવા લાગ્યા અને એ સંબંધ ચિરકાળ સુધી અતૂટ બની રહ્યો. ત્યાંના બ્રાહ્મણે સત્તાવિહીન અને જાગીરવિહીન થતાં જેને સાથે વધુ ભળતા ગયા અને કાલાંતરે જાગીરદારીના કારણે ઠાકોર અને જેને સાથે ભેજન કરવાથી ભેજક એવા નામથી જેનેના અંગરૂપ બની ગયા. જૈન ભેજક જાતિની ઉત્પત્તિ આ રીતે થઈ છે. વાયડગછની પરંપરામાં દર ત્રીજા આચાર્ય જિનદત્તસૂરિ નામમાળા થયા છે. તેઓએ તથા કસઆ૦ હેમચંદ્રસૂરિ વગેરેએ આ જૈન જ્ઞાતિમાં વધારે કર્યો હશે એવું અનુમાન થાય છે. એ વાત ચોક્કસ છે કે, આ જીવેદેવસૂરિવાળી ઘટના બનવાથી ભેજક જાતિ ઉત્પન્ન થઈ છે. (પં. શ્રી કલ્યાણવિજયનું પ્રભાવક ચરિત્ર-પ્રબંધ પર્યાચના - પૃ. ૪૨ થી ૪૫) જેનસ્તંભે - વિક્રમની દશમી સદીમાં અનેક જૈન સ્થાપત્ય સ્થપાયાં છે ૧. પ્રતિહારવંશી રાજા કકકુએ વિ. સં. ૯૧૮ માં મંડોવર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy