SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ કેતરકામ છે, પાસે નાના નાના ઓરડાઓ છે, ચેગાનમાં જવા માટે પગથિયાં છે, મંદિરને કેટલેક ભાગ ઊભેલે છે, ઘૂમટ પણ દેખાય છે. અહીં દાણુમાંથી ૩ જિનપ્રતિમાઓ અને ૨ શિલાલેખે મળ્યા છે, જે વિકમની બારમી સદીના છે, જે આજે લખનૌના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. અમુક મૂર્તિઓની ચારે બાજુએ પરિકર છે, પરિકરમાં ૨૩ તીર્થકરોની મૂર્તિઓ પણ છે, નીચે ગાદીમાં ધર્મચક્ર અને સિંહ છે, જેમાં ૨ પ્રતિમાઓ ઈસ્વીસન પહેલાંની છે. ભગવાન ઋષભદેવની પ્રતિમાની શિલ્પકળા ખૂબ આકર્ષક છે. (જર્નલ ઓફ ધી રોયલ એશિયાટિક સોસાયટી. ઈ. સ. ૧૯૦૮) ડે. કનિંગહામ લખે છે કે –મધ્યકાળમાં શ્રાવસ્તીનું નામ ચંદ્રિકાપુરી” હતું. (આએિલેજિકલ સર્વે ઑફ ઈડિઆ, . ૧૧ મું) આજે આ સ્થાન સહેટ-મહેટ (SAHET–MAHET) કે “સેટ-મેટના કિલ્લા તરીકે પ્રસિદ્ધ છે, જે બલરામપુરથી ૬ કેશ દૂર ઘીચ ઝાડીમાં છે. જે સ્થાન અધ્યા અને ફૈઝાબાદની ઉત્તરે નેપાલ રાજ્યની દક્ષિણે, બહરાયામની પૂર્વે અને ગેંડાની પશ્ચિમે છે. અસલમાં આજ શ્રાવસ્તી નગરી છે. (જૈન સત્યપ્રકાશ, કટ ૭૬, પૃ. ૨૭૮ થી ૨૮૨) વિકમની દશમી સદીના ઉત્તરાર્ધમાં અહીંને રાજવંશ જેનધમી હતું, જેની રાજાવલી નીચે પ્રમાણે મળે છે ૧. મહારાજા મયૂરધ્વજ ઈ. સ. ૯૦૦. આ સૂર્યવંશી રાજા હતે. ૨. મહારાજા હંસદેવજ. ઈ. સ. ૯૨૫, ૩. મહારાજા મક૨વજ. ઈ. સ. ૯૫૦. આ રાજાનું બીજું નામ શ્રીચંદ્ર મળે છે. તે અસલમાં બદ્રીનારાયણની પહાડીઓમાં રહેલ રાજનગરને રાજા હતું, તેણે શ્રાવસ્તીને ફરી વસાવી તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy