SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ 'પપ૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ " દેવે પણ પ્રાકૃત પ્રબંધના કવિ આ જીવદેવસૂરિની વાણીને કલ્પવૃક્ષની મંજરીની પેઠે નિરંતર કાને ધારણ કરે છે. (સુપાસનાહચરિયું, સં. ૧૧૯ મ. શુ. ૧૦ ગુરુ, માંડલ) - આ દરેક પ્રમાણેથી નક્કી થાય છે કે, આ જીવદેવસૂરિ વિ. સં૦ ૮૩ર અને વિ. સં. ૧૦૫ ના વચગાળામાં થયા હશે. અમે પણ એ જ કારણે તેમને વિક્રમની દશમી સદીમાં મૂક્યા છે. આચાર્યશ્રીએ પ્રાકૃતમાં સુંદર પ્રબ બનાવ્યા છે, એ પણ ઉપરના પ્રમાણેથી માની શકાય છે. આજે એ પ્રબંધે ઉપલબ્ધ નથી. ભાવાચાર્યગચ્છ પાવલી:– કાલિકાચાર્યગચ્છનું વીરની પાંચમી સદીમાં પાંડિલ્યગચ્છ અને વિક્રમની દશમી શતાબ્દીમાં ભાવાચાર્યગચ્છ એવું નામ પડયું છે. ભાવાચાર્યગચ્છ, ભાવેદેવાચાર્યગચ્છ, ભાવડાગચ્છ, ભાવડાગચ્છ અને ભાવડહારગછ ઈત્યાદિ નામથી પ્રખ્યાત છે. તેની પટ્ટાવલી આ પ્રમાણે છે: (જુ પૃ૦ ૨૨૮) (૧) આચાય ભાવેદેવસૂરિ– તેઓ આ૦ કલકરિના સંતાનીય અને ષાંડિલ્યગચ્છના આચાર્ય હતા, મહાન ત્યાગી હતા. નીરસ આહાર લેતા હતા. તેમનાથી ભાવાચાર્યગચ્છ શરૂ થયે. તેમણે વિ. સં ૯૧૨ માં પરમાગામના માધુદેવ આદિને ઉપદેશી જેન બનાવી તેનું “બાંઠિયા ગોત્ર સ્થાપ્યું. સં. ૧૩૪૦ માં બાંઠિયા રત્નાશાહથી “કવાડ” શાખા નીકળી છે, અને સં. ૧૬૩૧ માં મેડતાના બાંઠિયા શાહજીથી “શાહ શાખા નીકળી. તેના નાના ભાઈ હરખાજીથી હરખાવત શાખા નીકળી. શાહ અને હરખાવતજી પૂ. શ્રી આનંદઘનજી મહારાજના પરમ ઉપાસક હતા. તે તપઅને માનતા હતા. આજે મેડતાના હરખાવત શેઠ રૂપધનજી અજમેરમાં વિદ્યમાન છે. તેઓ તપગચ્છના શ્રાવક છે. (૨) વિજયસિંહસૂરિ–તેઓ બહુ શાંત પ્રકૃતિના હતા. (૩) વીરસૂરિ–તેઓ ઘણા વિદ્વાન હતા. (૪) જિનદેવસૂરિ– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy