SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ રાજા છ મનાય. આમરાજે પણ આ શરત કબૂલ કરી. પછી તે ધર્મરાજ તરફથી ગેરુવસ્ત્રવાળા બોદ્ધવાદી વધનકુંજર અને આમરાજા તરફથી આ બપભટ્રિસૂરિ વચ્ચે શાસ્ત્રાર્થ થયે, તેમાં આ બમ્પભટ્ટિસૂરિ જીત્યા અને પછી આચાર્યો અને રાજાઓને મેળવી બનેને પરસ્પર મિત્રે બનાવ્યા. પછી તે વાદી વર્ધનકુંજર પણ જૈનધર્મને ઉપાસક બન્યું હતું. એક વાર યશવર્માએ લક્ષણાવતી પર હલ્લે કરી ધર્મરાજાને મારી નાખ્યા અને પંડિત વાપતિરાજને કેદમાં પૂર્યો. પંડિતજીએ ગૌડવહે કાવ્ય બનાવી યશવર્માને ખુશ કરી મુક્તિ મેળવી, અને કને જમાં આવી વસવાટ કર્યો. તે અહીં આચાર્ય તથા રાજાની પ્રશંસા કરતું હતું. તેણે અહીં આવી ગાડબંધ” તથા “મદ્રમહાવિજય ગ્રંથે બનાવ્યા. રાજાએ પ્રસન્ન થઈ તેને લાખ સુવર્ણ ટંકાને ગરાસ બાંધી આપ્યો. હવે આજીવિકાની ચિંતા ન રહેવાથી વાયતિરાજે પણ મથુરામાં જઈ વરાહ મંદિરમાં કૃષ્ણનું ધ્યાન શરૂ કર્યું. એકવાર આમરાજા એક રૂપાળી નટ કન્યા ઉપર મોહિત થયે અને તેને મળવા તૈયાર થયે. આચાર્યશ્રીને આ વાતની જાણ થવાથી તેમણે અન્યક્તિ દ્વારા ઉપદેશ આપી તેને સ્થિર કર્યો. તેના મનને શાંત કર્યું. રાજાએ પણ પિતાની માનસિક ભૂલ માટે ઘણો જ પસ્તાવે કર્યો અને અગ્નિમાં પડી બળી મરવાનું નક્કી કર્યુ. આચાર્યશ્રીએ ત્યાંથી પણ તેને બચાવી લીધું અને મેગ્ય પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કર્યો. વાપતિરાજના મથુરા ગયા પછી આ ઘટના બની હતી. એકવાર આ બપ્પભદિસૂરિએ આમરાજાને કલ્યાણને ઉપદેશ આપ્યું અને પ્રસંગ પામી જૈનધર્મ સ્વીકારવા માટે સૂચવ્યું. આમરાજાએ વિનતિ કરી કે, ગુરુજી ! મને જૈનધર્મ પ્રત્યે અત્યંત અનુરાગ છે પરંતુ હું શિવધર્મને ત્યાગ નહી કરુ; છતાંય એ ચેકસ , છે કે, તમે વાપતિરાજને જેન બને તે હું પણ ન બનીશ. આચાર્ય વિહાર કરી મથુરા પધાર્યા, ત્યાં તેમણે વાપતિરાજને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy