SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ જૈન પરંપરાને ઇતિહાસ પ્રિકરણ (૪) આ. હરિભદ્રસૂરિએ આ. સિદ્ધસેનગની “તત્ત્વાર્થ– ટીકાના આધારે તત્વાર્થની “દુપદુપિકા ટીકા રચી છે. તેમના નામે લેખવાળી આવસ્મયચૂર્ણ (ભા. ૨, પૃ. ૨૩૩)ના ફકરાઓ આવશ્યકસૂત્ર”ની ટીકામાં અવતાર્યા છે. અને તેમને “મહાનિશીથસૂત્રને આદેશપાઠવંચાવ્યો હતે. માનવું જોઈએ કે આ. હરિભદ્રસૂરિ આ. સિદ્ધસેનગણિી પછી થયા છે. (૬) દક્ષિણચિહ્ન આ. ઉદ્યોતનસુરિ વિ. સં. ૮૩૫માં પિતે રચેલી “કુવલયમાલાની પ્રશસ્તિમાં લખે છે, કે– सो सिद्धतेण गुरू, जुत्तिसत्थेहिं जस्स हरिभहो । बहुसत्थगंथवित्थर-पत्थारियपयडसञ्चथो ॥१५॥ આઇ વીરભદ્રસૂરિ મારા સિદ્ધાંત ગુરુ છે અને અનેક શાસ્ત્રોના બનાવનાર આ૦ હરિભદ્રસૂરિ મારા ન્યાયશાસ્ત્રના ગુરુ છે. આ હરિભદ્રસૂરિ વિ. સં. ૭૮૫માં થયા છે અને આ ઉદ્યોતનસુરિ વિ. સં. ૮૩૫માં થયા છે. એટલે તેઓ આ હરિભદ્રસૂરિ પાસે ન્યાય ગ્રંથે ભણે, એ સહજ વાત છે. તેમની સાલવારીના નિર્ણય માટે આ મજબૂત પ્રમાણ છે. (૭) આ સિદ્ધર્ષિજી “ઉપમિતિભવપ્રપંચાકથામાં લખે ....नमोस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । આ હરિભદ્રસૂરિ મને ધર્મમાં પ્રવેશ કરાવનાર ધર્મબોધ ગુરુ છે. તે મહાન આચાર્યદેવ હરિભદ્રસૂરિને નમસ્કાર હે; જેમણે લલિતવિસ્તરવૃત્તિ મારે માટે જ બનાવી હોય એમ લાગે છે. જે કે આ કલેક આ૦ હરિભદ્રસૂરિ આ૦ સિદ્ધર્ષિના સાક્ષાત ગુરુ હોય એ ભ્રમ ઊભું કરે છે, કિન્તુ આ હરિભદ્રસૂરિ વિ. સં. ૮૩૫ પહેલાં થઈ ગયા છે, અને આ સિદ્ધર્ષિ વિ. સં. -૯દરમાં થયો છે. વળી, તેમણે “અગમચેતી” શબ્દ વાપર્યો છે એટલે આ૦ હરિશ્નસૂરિ આઠ સિદ્ધર્ષિના સાક્ષાત ગુરુ નથી કિન્તુ શાસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy