SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વિધર્મીઓએ આ તીર્થને વિનાશ કરવા માટે આક્રમણ કર્યા હતાં, છતાંય આ તીર્થ બચી ગયું. * શિલાલેખથી જાણી શકાય છે કે આ તીર્થને સં. ૧૮૯૩માં તપાગચ્છના આ. સેમસુંદરસૂરિના શિષ્ય પં. શાંતીશગંણિના ઉપદેશથી, સં. ૧૬૬પને ચેત્ર સુદ ૧૫ હસ્ત નક્ષત્રમાં સંઘના પ્રયત્નથી, સં. ૧૭૬૭માં તપાગચ્છના ભટ્ટારક વિજયરત્નસૂરિના આજ્ઞાવતી પં. ધર્મકુશળના શિષ્ય પં. કેસરકુશળના ઉપદેશથી અને સં. ૧૯૬૬માં માગશર વદ ૧૧ શુકવારે તપાગચ્છના આ વિજયાનંદસૂરિના શિષ્ય વિદ્યારત્ન મુનિ શાંતિવિજયના ઉપદેશથી કુદાકજી તીર્થને જીર્ણોદ્ધાર થયેલ છે અને ધ્વજાદંડ ચડાવવામાં આવ્યો છે. - આજે પણ આ તીર્થ પ્રભાવક તીર્થ તરીકે વિખ્યાત છે. નિઝામ રાજ્યમાં ગગનચુંબી શિખરવાળું જે કઈ હિન્દુ મંદિર હોય તે તે માત્ર આ કલ્પાકજીનું જ જૈન શ્વેતાંબર મંદિર છે. આ સ્થાન દક્ષિણ હૈદ્રાબાદથી ઈશાનમાં ૪૭ માઈલ દૂર છે. મોટર રેડ છે. આલેર સ્ટેશનથી ૪ માઈલ દૂર છે. કુલ્યાક ગામની બહાર આ ભવ્ય મંદિર ઊભું છે. (તીર્થકલ્પ, ઉપદેશસહતિકા, હરસૌભાગ્ય મહાકાવ્ય, બસવપુરાણ, વિજજાલકાવ્ય, જેને સત્ય પ્રકાશ ક્રમાંક ૬૮ થી ૭૫ ના આધારે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy