SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાનો તિહાસ [ પ્રકરણ * તેમના ‘ જીવસિદ્ધિ, તત્ત્વાનુશાસન ’ વગેરે ગ્રંથો મળતા નથી. તત્વાનુશાસનનું વાસ્તવિક નામ આત્માનુશાસન કે આત્માનુ શાસ્તિ હશે કેમકે અનુયોગદ્વાર સૂત્રના ૧૨૦મા સૂત્રમાં આત્માનુશાસ્તિનો ઉલ્લેખ મળે છે. ૩૪ ' તેમની રચનામાં ‘ રત્નકરડ શ્રાવકાચાર ’નું પણ નામ જોડવામાં આવે છે. પરંતુ તે કુન્દકુન્દ · શ્રાવકાચાર ’ અને ઉમાસ્વાતિ ‘ શ્રાવકાચાર'ની પેઠે તેમનાં નામ પર ચડાવી દીધેલ હોય એમ લાગે છે. અથવા કોઈ લધુ સમતભદ્રજીએ તેને ખનાન્યેા હશે. તેમના સાહિત્યમાં તીર્થ કરની સાક્ષરી વાણી (સ્વયંભૂ સ્તોત્ર શ્ર્લાક ૪, ૭૪, ૯૭, ૧૦૭, ભૂમિવિહાર ( શ્લાક ૨૯, ૧૦૮, ૧૧૮ ) અને તપસ્યા ( લૈા૦ ૮૩) વગેરે વિધાનો શ્વેતાંબર માન્યતાને જ પુષ્ટ કરે છે. છતાંય ખુશી થવા જેવું છે કે દિગમ્બર વિદ્વાના પણ તે સાહિત્યને આવકારે છે. ક. સ. આ॰ શ્રી હેમચંદ્રસૂરિજી અને આ॰ મલયગિરિજી મહારાજ પોતાના સાહિત્યમાં આ॰ શ્રીસમન્તભદ્રસૂરિજીને મહાન સ્તુતિકાર તરીકે ઓળખાવે છે. એકદરે આ સમન્તભદ્રસૂરિજી તે યુગના આદર્શ ત્યાગી છે, શ્વેતામ્બર તથા દિગમ્બર બન્ને સંપ્રદાયમાં માન્ય સમ ગ્ર ંથકાર, અજોડ સ્તુતિકાર અને પ્રખરવાદી છે. તેમણે વિહાર કરતાં કરતાં કાર'ટાતીમાં જઈ ઉપાધ્યાય દેવચંદ્રજીને દીક્ષા આપી, પાતાની પાટે સ્થાપી, શત્રુ જયતીર્થ ઉપર પધારી અનશન સ્વીકાર્યું હતું. ઉદયગિરિ ગુફા, વિદ્વિશાથી ૪ માઈલ દૂર ઉયિગિર છે તેમાં જૈન ગુફાઓ છે. ૨૦ મી ગુફામાં વીર સ. ૬૫૧નો શિલાલેખ છે કે:~ ભદ્રા શાખાના આ ગોશના શિષ્ય મુનિ શંકરે અહી ગુપ્ત સ. ૧૦૬માં ભ. શ્રીપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે. ( ફ્લીટ “ ગુપ્ત ” અભિલેખ, પૃ૦ ૨૫૮, આ ગ્રંથ પૃ॰ ૭૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy