SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ આ પહાડ પણ ગંડળ રાજ્યમાં છે. વસઈ–ઓખા બેટમાં નવી દ્વારિકા વસી છે. તેની પાસે ગુપ્તકાળનું જિનમંદિર છે. વેસન સાહેબ જણાવે છે કે, વિમલવસહી વગેરે જૈન સ્થાને છે, તેમ આ સ્થાન પણ જેનેનું છે. પાસે વસઈ ગામ છે, મંદિરની રચના જેનેને મળતી છે, ગુપ્તકાલીન શિલ્પ છે. આ મંદિર પહેલાં જેનું હતું. (કાઠીઆવાડ ગેઝિટિયર) દ્વારિકા–એ અસલમાં જેન ધામ છે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર જણાવે છે કે, “જગતદેવાલય કયા વર્ષમાં કોણે બનાવ્યું? તેને કશે પણ આધાર ઈતિહાસ કે પુરાણોમાંથી મળી શકતો નથી. કેટલાએક એમ કહે છે કે, આ મંદિર વાના કરાવ્યું નથી પણ ત્રણ હજાર વર્ષ ઉપર જેની લોકોએ કરાવ્યું છે, અને તેમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપના કરી હતી તે મૂતિ હાલ નગરમાં છે. વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે, આ મૂર્તિ જગતદેવાલયમાં સ્થાપના કરી હતી.” આ સ્થાન શંકરાચાર્યના વખત પછી અજેના હાથમાં ગયું છે અને તે જૈન તીર્થ મટી વૈષ્ણવ તીર્થ બન્યું છે. સદ્દગત તનસુખરામ મ ત્રિપાઠી પણ જણાવે છે કે, “વિ. સં. ૧૨૦૦ પછી દ્વારિકા વષ્ણવતીર્થ તરીકે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે.” આ મંદિરમાં ઉપલા ભાગમાં ભગવાન નેમિનાથની જાન વગેરેનાં કારણભય ચિત્ર છે. (જૈન સત્યપ્રકાશ, ક્રમાંક ૩૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy