SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ તેમણે ‘સમયસાર, ષષ્માભ' વગેરે ઘણું પ્રાભૂત ગ્રંથ બનાવ્યા છે. વિક્રમની દશમી સદીમાં તેની ઉપર ટીકાઓ રચાઈ છે. આ કેટવરનાં બીજાંના કેટ અને શિવકેટિ વગેરે છે. તેમણે ભગવતીઆરાધના” બનાવેલ છે, જેમાં “આચારાંગ સૂત્ર, જીલ૯૫,” હતક૫ભાષ, વ્યવહાર અને નિયુક્તિના ઘણા સાક્ષી પાડે છે. આ શિવકટિજી ઉપલબ્ધ જિનાઆગમને બહુ જ વફાદાર રહ્યાા છે. “ભગવતી આરાધના” ઉપર આ૦ અપરાજિતસૂરિએ વિજયદયા ટીકા કરેલી છે. આ ઉપરાંત વનવાસીગચ્છના આવાચાર્ય શ્રીસમનભકસૂરિ ઉચ્ચાનાગરશાખાના વાચક શ્રીઉમાસ્વામીજી અને આ સિક્રસેન દિવાકરજી વગેરેના ગ્રંથને પણ દિગમ્બર સંઘે પુરા પ્રેમથી અપનાવ્યા છે અને વિકસાવ્યા છે. ન વિક્રમની નવમી સદી પછી તે દિગમ્બર સાહિત્ય ખૂબ જ વૃદ્ધિને પામ્યું છે. વેતાઅર અને દિગમ્બરના મતભેદનું મૂળ અંબર છે, જે તે બન્નેનાં નામની પાછળ જોડાઈ વધુ અમર બન્યું છે. વસ્તુતઃ દિગમ્બર સંપ્રદાયે શરૂમાં માત્ર “મુનિ વસ્ત્ર ન ધારે એટલે જ મતભેદ ઉઠાવ્યું, ત્યાર પછી સ્ત્રી નગ્ન રહી શકે જ નહીં, અને વસ્ત્ર ધારે તે તેણીને મુનિપરું હેય નહિ, આ નિયમ સ્ત્રીને ચારિત્ર અને છેવટે મોક્ષ નથી એમ જાહેર કર્યું, સાથેસાથ વસ્ત્ર વિના પાત્ર રહે નહીં, પાત્ર વિના આહાર લાવી શકાય નહીં. અને આહાર લાવ્યા વિના તીર્થકર ભગવાન આહાર કરી શકે નહીં. આ બધી સમસ્યાને “કેવલી ભગવાનને આહાર ન હોય એ નિર્ણય જાહેર કરી સરળ ઉકેલ કરી નાખે. એટલે મુનિવસની પાછળ સ્ત્રીમુક્તિ અને કેવલિભુક્તિને મતભેદ ઊભું થયું. તેમજ એક ઝઘડે સે ઝઘડાને તરે એ કહેવત પ્રમાણે સમય જતાં તેમાંથી ઘણુ મતભેદને જન્મ થયો છે. એકંદરે દિગમ્બર આચાર્યોએ નગ્નતાની રક્ષા માટે વસ્ત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy