SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ચરિત્રમાં લખ્યું છે. આ હરિભદ્રસૂરિ પિતાના ગુરુજીને વિદ્યાધરતિરુવ તરીકે ઉલ્લેખે છે. સંગમસૂરિ નામના સિદ્ધ મુનીશ્વરે શત્રુંજય ઉપર વિ. સં. ૧૮૬૪માં એક માસનું અનશન કર્યું હતું, તેમને માટે પ્રાચીન પુંડરીકના શિલાલેખમાં વિદ્યાધરપુનમરતત્રસૃજ વિશેષણ આપ્યું છે. વનરાજ ચાવડાના મંત્રી નીનાએ પાટણમાં વિદ્યાધરગરછમાં ભ૦આદીશ્વરનું દેરાસર બનાવ્યું હતું, તેના વંશજ મંત્રી નેઢના પુત્ર પ્રસિદ્ધ મંત્રીશ્વર વિમલના ભત્રીજા મહામાત્ય પૃથ્વીપાલે તેમાં મંડપ કરાવ્યું હતું, તેના પુત્ર ધનપાલની વિનતિથી નાગેન્દગચ્છના આ૦ હરિભ સં૦૧૨૫૦ લગભગમાં ચંદ્રપ્રભચરિત્ર વગેરેની રચના કરી. આ ચારે કુલના આચાર્યો એકરૂપે જ હતા, તેથી શાસનના ઘણાં કાર્યોમાં સાથે મળીને વ્યવસ્થા કરતા હતા. મંત્રીશ્વર વિમલે આબુ ઉપર વિમલવસહીમાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ૦ થશેષ વગેરે ચારે ગ૭ના આચાર્યો ત્યાં હાજર હતા, તે માટે લખ્યું છે કે, नागेन्द्रचन्द्रप्रमुखैः प्रथितप्रतिष्ठा। બને ઉલેખ પણ મળે છે કે – चतुर्गच्छोद्भवैश्चतुर्भिराचार्यैः प्रतिष्ठा कृता त्यात આ પ્રભાચંદ્રસૂરિ આ નાગેંદ્રસૂરિ વગેરે માટે લખે છે કે, તે ચારે આચાર્યો ન્યૂન દશપૂવી થયા, તેઓના નામથી નીકળેલા આ સંગમસિંહસૂરિ આ૦ હરિભદ્રસૂરિના ગ્રથના પ્રકાંડ અભ્યાસી હતા, આ અભયદેવ તથા આ અકલંકના ન્યાય ગ્રંથોના પ્રકાંડ પંડિત હતા, વ્યાકરણ, કાવ્ય અને અલંકારના ઉદ્દભટ વિદ્વાન હતા, વૈશેષિક, મીમાંસા અને ગૌતમ એ ત્રણેના તર્કના અભ્યાસી હતા અને સાંખ્ય તથા ભટ્ટપાદના મતને પણ જાણતા હતા, તેમજ મોટા કવિ હતા. તેમની પાટે મહાન વિદ્વાન આ૦ જયસિંહસૂરિ થયા. તેમના શિષ્ય યક્ષદેવે નાગપુર જઈ શાસ્ત્રાભ્યાસ કર્યો અને આ હરિભદ્રસૂરિના પાંચ શ્લેક બનાવ્યા, જે પ્રસિદ્ધ છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક-૧૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy