SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમું ] આર્ય શ્રી વજસ્વામી લઈ જવા.” આમ હોવાથી પુરીમાં મંદિરે માટે પવિત્ર કે મળતાં ન હતાં અને ફૂલે વિના જ દેવપૂજા થતી હતી. એકવાર ભયંકર દુકાળ પડ્યો. ત્યારે આ વાસ્વામી શ્રીસંઘને લઈને અત્રે પધાર્યા, જેમાસું રહ્યા. પર્યુષણ પર્વ આવતાં શ્રાવકોએ પિતાને પુષ્પપૂજા થતી નથી એ વાત કહી સંભળાવી. આચાર્ય મહારાજે વિદ્યાના પ્રભાવે બહાર જઈ ફૂલે લાવી શ્રાવકને આપ્યાં અને શ્રાવકોએ ઘણા હર્ષપૂર્વક તીર્થકર ભગવાનની આંગીપુજા કરી. રાજાને આ વાતની ખબર પડી અને તે આચાર્ય મહારાજ પાસે આવ્યો, ઉપદેશ સાંભળી ન બને. આ રીતે પુરીને રાજા જેનધમી રાજા હતા. (વીર સં. ૫૭૦ થી ૫૮૪) રથવીરનરેશ-આ જ અરસામાં રથવીરપુર ગામ ધણી પણ આ કૃષ્ણસૂરિ તથા મુનિ શિવભૂતિ વગેરેને બહુમાન હ. (આવશ્યક નિર્યુકિત) દશપુરનરેશ—દશપુરને રાજા પણ આવ આર્ય રક્ષિતજીના ઉપદેશથી જૈનધમી બન્યા હતા. આ અરસામાં શ્રી શત્રુંજય તીર્થ તથા ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર થયા છે અને ભગવાન અષભદેવ વગેરેનાં જિનબિંબ વગેરેની અંજનશલાકા પ્રતિષ્ઠા અને ધ્વજારોપણ વગેરે થયાં હતાં. કપદી યક્ષ–આજ સમયે શત્રુંજય તીર્થમાં નવા અધિષ્ઠાયક કપર્દી પક્ષની પણ સ્થાપના કરવામાં આવી છે. તે કપદી યક્ષનું * આ રથવીરપુર ક્યાં આવ્યું તેનો નિર્ણય થયો નથી. તે મધ્ય હિંદમાં કે દક્ષિણ હિંદમાં હોવું જોઈએ. ચૈતન્ય સંપ્રદાયના આચાર્ય ચૈતન્યસ્વામી (જન્મ તા. ૭-૩-૧૪૮૬, મૃત્યુ ઈ. સ. ૧૫૩૪) એ દક્ષિણ ભારતમાં યાત્રા કરી તેમાં અનુક્રમે ગષ્પદતીર્થ, યજ્ઞપુર, મંગલગિરિ, શ્રીરંગમ, ઉપરજતપીપુરમ, ફેબ્રુતીર્થ, પંપાસર, ગોકીર્ણશિવ, સુર્યપૂર્વક તીર્થ, કહાપુર અને પંઢરપુર એ નામે દર્શાવ્યાં છે. આ પૈકીનું રજતપીઠપુર તે રથવીરપુર તો નહીં હોય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy