SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ અગિયારમું ] આશ્રીદિરસૂરિ રાજગછીય આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, ત્યાં આજે પણ એ અધી નમેલી ચક્ષતિ છે, જે “નિર્ગસ્થનમિત” તરીકે પ્રસિદ્ધ છે. (પ્રભાવક ચરિત્ર) . આવી જ રીતે પાટલીપુત્રમાં શૃંગવંશી દાહડ દેવભૂતિ નામે એક પ્રબલ રાજા હતા. તે બ્રાહ્મણોને પરમ ભકત હત બોદ્ધો, જેને અને બીજા ધર્મવાળાઓની ભારે ઠદર્થને કરતે હતે. એણે જૈન સાધુઓ માટે હુકમ કાઢયો કે, “તમારે બ્રાહ્મણે નમસ્કાર કરવા.” પાટલીપુત્રના જૈન સંઘે આ સમાચાર ભરૂચમાં આર્ય ખપુટાચાર્યને મોકલ્યા. તેમણે પોતાના વિદ્વાન શિષ્ય ઉપાધ્યાય (આચાર્ય) મહેન્દ્રસૂરિજીને પોતાની વિદ્યાઓ તથા કણેરની બે સેટી આપી પાટલીપુત્ર મોકલ્યા. આ. મહેન્દ્રસૂરિજી પાટલીપુત્ર આવ્યા અને ત્યાં તેમણે દાહડરાજને કહેવરાવ્યું કે, “શુભ મુહૂર્ત બધા બ્રાહ્મણને રાજસભામાં એકઠા કર, હું તમારા હુકમનું પાલન કરવા આવ્યું છું.” રાજાએ પ્રસન્ન થઈ મોટા મોટા વેદવાદીઓ, કર્મકાંડીઓ અને પંડિત બ્રાહ્મણને એકઠા કર્યા. સૂરિજી પણ યથા સમયે રાજસભામાં પધાર્યા. ચારે દિશામાં બ્રાહ્મણ પંડિતો બેઠા હતા અને વચમાં રાજા છેડે હતે. સૂરિજી બોલ્યા-રાજન ! પહેલાં કઈ દિશાના બ્રાહ્મણોને પગે લાગું એ તે કહે? રાજા બે –પૂર્વદિશાના બ્રાહ્મણને. સૂરિજીએ કણેરની સોટી ફેરવી કે પૂર્વ દિશાના બ્રાહ્મણ લાંબા થઈને સૂઈ ગયા. પછી તે બીજી બધી દિશાઓને વારે આવે અને લગભગ ૫૦૦ બ્રાહ્મણે બેઠેશ બની લાંબા થઇને સૂઈ ગયા. રાજા આ જોઈ સૂરિજીને પગે પડી વિનંતિ કરવા લાગ્યઃ મહારાજ! મારો અપરાધ માફ કરો, માફ કરે. સુરિજી બેલ્યા–શજન્ ! આજે તારા પાપને ઘડો ભરાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy