SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વાચનાચાર્ય જણાવ્યા છે પણ તેઓ આ ભૂતદિનના સમકાલીન છે, માટે તેઓને નંદીસૂત્રના વાચકવંશમાં લીધા નથી, પ્રક્ષિપ્ત ગાથાઓમાં બતાવેલ વાચનાચાર્યો પૈકીના કેટલાક તે યુગપ્રધાને છે. તેઓનું વર્ણન આગળ યુગપ્રધાન પટ્ટાવલીમાં આપેલ છે. वाई य खमासमणे, दिवायरे वायग त्ति पगहा । पुव्वगयम्मि य सुत्ते, एए सदा पउंजंति ॥ १॥ વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક આ શબ્દો પૂર્વધર માટે વપરાય છે–વપરાતા હતા. હવે તે વાદી શબ્દ વાદી અર્થમાં, ક્ષમાશ્રમણ શબ્દ ક્ષમાધર બહુશ્રતના અર્થમાં, દિવાકર શબ્દ તેજસ્વી અર્થમાં અને વાચક શબ્દ ઉપાધ્યાય અર્થમાં વપરાય છે. વાચકવંશ તે જુદા જુદા ગચ્છમાં એક પછી એક થયેલા વિદ્યાધારક વાચનાચાર્યોની શૃંખલારૂપે જેડેલી શ્રમણ પરંપરા છે, આથી ઈતિહાસમાં કઈ કઈ સ્થાને આ વાચકવંશને જ વિદ્યાધરવંશ તરીકે પણ ઓળખાવ્યા હોય એમ લાગે છે. “પ્રભાવચરિત્ર'માં આ શ્યામાચાર્યને આ૦ ગુણાકરસૂરિયાને આ ગુણસુંદરસૂરિના શિષ્ય બતાવ્યા છે અને આગળ જતાં તેમને જ વિદ્યાવંશના બતાવ્યા છે. વળી, દરેક આચાયે વાચકવંશના પ્રધાન આચાર્યો છે. આ સમન્વય જોતાં પ્રસ્તુત વિવારવંશ અને વાચકવંશ એક છે, એમ માનવું એ વ્યાજબી માન્યતા છે. આમ માનવાથી ઘણું ઐતિહાસિક ગૂચેનો સરળ ઉકેલ થઈ જાય છે. ક્સમકાલસમણુસંઘથયં” અને “વિચારશ્રેણિના આધારે સુગપ્રધાન પટ્ટાવલી તથા યુગપ્રધાને કાળ નીચે મુજબ છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy