SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તરફ ખેંચવાની નવી તરકીબ રચી. એણે ગંગા નદીના પ્રવાહમાં એક છૂપે સંચ ગોઠવ્યે જેના બીજા છેડે ગુપ્ત રીતે તે ૧૦૦ સેનામહેરોથી ભરેલી એક કોથળી મૂકી રાખતા હતા. પછી તે સવાર આવી ઉપર ઊભું રહી ભગવતી ગંગા નદીનું સ્તોત્ર ભણેને સંચને દબાવે ત્યારે કેથળી ઊંચી થાય. એટલે વરરુચિ જનતાને કહે: જુઓ! આ રાજાએ મારી સેનામહોરો બંધ કરી પરંતુ મૈયા ભગવતી-ભાગીરથી મને સેવા મેવારૂપે સેનામહોર આપે છે. ” આમ લેકોને જણાવી પછી પોતે કેથળી કાઢી લઈ ચાલવા માંડે. આ ચમત્કાર નગરમાં ફેલાયે, રાજા અને મંત્રી પાસે આ સમાચાર પહોંચ્યા. પ્રજામાં વરરુચિ પ્રતિ પ્રેમ અને ભક્તિ વધી પડ્યાં, લેકે વરરુચિને દેવી પ્રસન્ન થયાં છે એમ માની તેની પૂજા કરવા લાગ્યા. ફળ-ફૂલ અને નૈવેદ્યથી એની ભક્તિ થવા માંડી. રાજા અને મંત્રીને ફિટકાર મળવા માંડયો. આખરે નંદરાજની સભામાં આ વસ્તુ ચર્ચાતાં આખી સભાએ બીજે દિવસે આ ચમત્કાર જેવા જવું, એમ નક્કી થયું. વરરુચિને ખબર પડી કે આવતી કાલે આખી રાજસભા નદીકાંઠે મારો ચમત્કાર જેવા આવશે. એ મનમાં રાજી થયા. એણે પૂરી તૈયારીમાં રહેવાનું નક્કી કર્યું. અહીં મંત્રીશ્વર શકટાલે વિચાર કર્યો કે જરૂર આમાં વરરુચિને દંભ છે. અંદર કેક ગડબડ છે. એમણે પોતાના હેશિચાર જાસુસને આ વાતની બાતમી મેળવવા ગોઠ. વરરુચિ મધ્ય રાતે નદીમાં ગયે. એણે સેનામહોરેશન કેથળી રાખી સંચ બરાબર ગોઠવ્યો. એણે સરસ વ્યવસ્થા કરી કે સંચ દબાતાં જ પાણીનો મારે વાગતાં કોથળી ઊંચી ઊછળે અને પિતે નદીને પ્રસાદ જીલી લે. પછી વરરુચિ રાજી થત ઘેર ગયે તેના ચાલ્યા ગયા પછી મંત્રીશ્વરના જાસુસ પુરુષે કે જેણે આ લીલા જોઈ હતી, તેણે ધીમથી સંચ ઊંચે કરી કોથળી કાઢી લીધી. જાસુસ આ કેથળી લઈ મંત્રીશ્વર પાસે પહોંચ્યો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy