SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ બાળ મનકકુમાર ચંપાપુરીમાં કઈ રીતે જવું એનો વિચાર કરતે હો ત્યાં તે તેણે સામેથી પાંચ-સાત શાંતમુદ્રા ધારી, પવિત્રતાની મૂર્તિ સરખા જેન શ્રમણને આવતા જોયા. મનકને ખ્યાલ હતું કે, મારા પિતા જેનશ્રમણ થયા છે. સૂરિ અને બાળકની દષ્ટિ મળી, તારામૈત્રક જોડાયું. આચાર્યના દિલમાં વાત્સલ્યને સાગર ખળભળાટ કરવા માંડ્યો અને તેમની વચ્ચે વાર્તાલાપ શરૂ થયે. આચાર્ય :–“વત્સ? તુ કેણું છે? ક્યાંથી આવે છે?' મનકા–“પૂજ્ય! હું જિગૃહીના મહાન વેદપાઠી અને ચોક વિદ્યાના પારગામી શય્યભવ ભટ્ટને પુત્ર છું. મારા પિતા આપના જેવા જેનશ્રમણ થયા છે. મેં મારા પિતાનું મુખ જે. જ નથી. તેથી હું તેમને-એ શ્રમણને શેધવા નીકળે છું.” સૂરિજી–“વત્સ! જે તારા પિતાજી મળે તે હું શું કરે?' મનક–પૂજ્ય! હું પણ પિતાજીના માર્ગને અનુસ એવી મારી ભાવના છે. યદિ આપ મારા પિતાજીને જાણતા હો તે બતાવે.” આ સૂરિજી તે આ શર્માભવસૂરિ પોતે જ હતા. તેઓ સમજી ગયા કે આ મારે જ પુત્ર છે, પિતા વૈજ્ઞા પુત્ર એ જ લક્ષણે આ પુત્રમાં છે. સૂરિજી:–“વત્સ! હું તારા પિતાજીને ખૂબ ઓળખું છું તુ મારામાં ને એમનામાં કાંઈ જ ભેદ ન માનીશ, અમે બંને સર્વથા એક જ છીએ, માટે તું ચાલ! દીક્ષા લઈ લે, તને તારા પિતાને મેળાપ થયે જ સમજી લે.” હતો. મહાસતી સુભદ્રા અહીં જ થઈ છે, જેણે કાચા સૂતરના તાંતણે કૂવામાંથી પાણી કાઢી ચંપાના બંધ થયેલા ચારમાંથી ત્રણ દરવાજા ઉઘાડ હતા. શયંભવસૂરિજીએ મનક મુનિને દીક્ષા આપી અહીં “દશવૈકાલિકસત્રની રચના કરી હતી. આ ચંપાપુરી અત્યારે ભાગલપુરથી બે માઈલ દૂર “ચંપાનાલા' તરીકે પ્રસિદ્ધ છે. અહીં શ્વેતાંબર જૈન મંદિર, ધર્મશાળા વગેરે છે. ( વિશેષ માટે જુઓ અમારે જૈન તીર્થોને ઇતિહાસ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy