SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ * સન્મતિ પ્રકરણ મૂળગ્રંથને ઘણા અંશે તૈયાર કરી શકીએ તેમ છીએ. તેમાં જે જે અન્ય ગ્રંથકાર અને તેમનાં વાકયોનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે તપાસતાં પણ કાઈ ના ઉપર જણાવેલ વિક્રમ સં. ૪૧૪ સાથે કાઈ રીતે વિરાધ આવતા નથી.* આમ જો મલ્લવાદી વિક્રમના પાંચમા સૈકામાં હયાત હોય, તે પછી તેમણે જેમના ગ્રંથ ઉપર ટીકા લખી હોય તે સિદ્ધસેન દિવાકરને ચોથા-પાંચમા સૈકાના ગણુવામાં વાંધા આવતા નથી. આને અંગે જ ખીજાં પણ એક પુષ્ટિદાયક પ્રમાણુ છે. પૂજ્યપાદ દેવનદીએ પોતાના જૈનેન્દ્ર વ્યાકરણમાં વેત્તે: સિદ્ધસેનસ્ય' (૫–૧–૪) એ સૂત્રમાં સિદ્ધસેનને મર્તાવશેષ નાંધ્યા છે. તે એ છે કે, સિદ્ધસેનના મત પ્રમાણે ‘વિક્’ધાતુને ‘જ્ ’. આગમ થાય છે; ભલે તે સકક પણુ હોય. દેવનદીના આ ઉલ્લેખ બિલકુલ સાચો છે; કેમકે દિવાકરની જે કાંઈ થાડીક સંસ્કૃત કૃતિ ખેંચી છે, તેમાંથી "L Jain Education International * જે કાઈ વિરાધની કલ્પના આવતી હતી તે મલ્લવાદીએ ભતૃહરિના વાકચપદીય' ગ્રંથમાંથી ઉતારેલી અનેક કારિકાઓને કારણે આવતી હતી. એ ભર્તૃહરિના સમચ, અત્યાર સુધી, ચીની યાત્રી ઇત્સિંગે પેાતાના ઈ. સ. ૬૯૧માં લખેલા ભારત ચાત્રા વિષેના ગ્રંથમાં શૂન્યતાવાદી તથા સાત સાત વાર બૌદ્ધભિક્ષુ બની ફરી સંસારી બનનાર મહાન બૌદ્ધ પડિત ભતૃ'હરિનું મૃત્યુ થયે આજે ૪૦ વર્ષ થયાં છે” એવા ઉલ્લેખ ઉપરથી વિચારી લેવામાં આવ્યે હતા. પરંતુ મુનિ બૂવિજયે “ જૈનાચાય` શ્રી મલ્લવાદી અને ભતૃ હિરને એ લેખમાં ( જુએ ‘બુદ્ધિપ્રકાશ’ નવે૦ ૧૯૫૧, પૃ. ૩૩૨.) જણાવ્યું છે તેમ, કાં તેા ઇત્સિંગનું વચન નિરાધાર છે અથવા એ ભતૃ હિર બીજો જ કાઈ હાવા જોઈએ. કારણ કે, વસુબના શિષ્ય દિશાગે ( વિક્રમની ચેાથી શતાબ્દીની આસપાસ ) ભર્તૃહરિના ‘વાકચપદીય’માંથી એ કારિકા ઉદ્ધૃત કરી છે, એ નિશ્ચિત થવાથી અને ભતૃહિરને ગુરુ વસુરાત દિમાગના સાક્ષાત્ ગુરુ વસુખના સમકાલીન હેાવાથી, ભતૃહરિ અને દિમાગ અને સમકાલીન હરે છે. એટલે મલ્લવાદીએ બૌદ્ધો ઉપ૨ વિ. સ. ૪૧૪માં વિજય મેળવ્યાના ઉલ્લેખને ભતૃ હિરના સમયની ખાધા આવતી નથી. .. સમય 31 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy