SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સમતિ પ્રકરણ ન આ ઉલ્લેખામાં મુખ્ય બે વાત તરી આવે છે. પહેલી એ કે સન્મતિતક ગ્રંથ જિનદાસણ મહત્તરના સમયમાં દશનપ્રભાવક શાઓમાં ગણાતા હતા; અને તે એટલે સુધી કે તેને અભ્યાસી કારણવશ દોષસેવન કર્યાં છતાં પ્રાયંશ્ચિત્તભાગી ન મનાતા, અને સન્મતિના અભ્યાસી વિદ્વાન સાધુ પાસે શાસ્ત્ર ગ્રહણ કરવા માટે વિરોધી રાજ્ય સુધ્ધાંમાં જવાની છૂટ મનાતી. ખીજી વાત એ છે કે, કૈાઈ સિદ્ધસેન આચાયે ઘેડા સર્જ્યોની હકીકત જિનદાસગણું મહત્તરના સમયમાં બહુ જાણીતી અને માન્ય થઈ ગઈ હતી. Fe પ્રસ્તુત ચણૢિ જે ભાષ્ય ઉપર છે, તે નિશીથભાષ્ય જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનું મનાય છે. ઉક્ત ઉલ્લેખવાળી ચૂર્ણિની મૂળ ભાષ્યગાથામાં સન્મતિનું નામ નથી, પણુ દર્શનપ્રભાવક શાસ્ત્રને નામ વિના ઉલ્લેખ છે. જિનદાસે નિર્દેશેલ અશ્વસ`ક સિદ્ધસેન એ જ સન્મતિના કર્તા દિવાકર સિદ્ધસેન છે. સિદ્ધસેનતી ઘેાડા સર્જનાર તરીકેની પ્રસિદ્ધિ અને સન્મતિની દશનપ્રભાવક શાસ્ત્ર તરીકેની પ્રસિદ્ધિ આપણને એટલા નિશ્ચિત અનુમાન ઉપર તેા લઈ જાય છે કે, એ સિદ્ધસેન જિનદાસની પહેલાં થયેલા હાવા જોઈ એ. પણ પહેલાં એટલે કેટલા પહેલાં એ સવાલ હવે થાય છે. શું સિદ્ધસેન જિનભદ્રના સમકાલીન હશે કે તેમનાથી ઘેાડા જ વખત પહેલાં અથવા લાંબા વખત ઉપર થયેલા હશે? સિદ્ધસેન અને જિનભદ્ર અને સમર્થ હોવા છતાં મિન્ન ભિન્ન વિરોધી પક્ષ ધરાવતા. જિનભક આગ ૬. જીએ શ્રીમાન જિનવિજયજી સંપાદિત ગીતની પ્રસ્તાવના પૃ૦ ૧૦. 19. दंसणपभावगाणं सत्थाणट्ठाते सेवति जा उ । 77 गाणे सुत्तत्थाणं चरणेसण - इत्थिदोसा वा 11 –પીઠિકા, નિશીથ ભાષ્ય, લિ॰ પૃ૦ ૨૧. ૮, ૮ પ્રભાવચરિત્ર' વૃદ્ધવાદી પ્રબંધ શ્લો॰ ૧૬૭-૧૬૮માં સિદ્ધસેને સન્ય સભ્યોની સૂચના છે. tr Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy