SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૭ તૃતીય કડઃ ૧૬૮ દર્શન સ્વરૂપ જ છે વગેરે વ્યવહારોમાં અને ઘડે લાલ છે, પોળો છે વગેરે વ્યવહારમાં તે તે દ્રવ્ય તે તે પર્યાયરૂપે વ્યવહારતું હેઈ, દ્રવ્ય અને પર્યાયને અભેદ સિદ્ધ જ છે; અને જે પર્યાયનો અભેદ સિદ્ધ હેય, તે ગુણ તેથી જુદા ન હોવાને લીધે તેને પણ દ્રવ્ય સાથે અભેદ આપોઆપ સિદ્ધ થાય છે. [૯-૧૫] - દ્રવ્ય અને ગુણને એકાંત અમેદવાદીનું જ વિશેષ કથન– एयंतपक्खवाओ जो उण दव्व-गुण-जाइभेयम्मि । अह पुव्वपडिक्कुट्ठो उआहरणमित्तमेयं तु ।। १६ ।। ઉપ-પુત્ત-g-મવી-માળનું પુપુરિસંવંધો ! ण य सो एगस्स पिय त्ति सेसयाणं पिया होइ ।। १७ । जह संबंधविसिट्ठो सो पुरिसो पुरिसभावणिर इसओ। तह दवमिंदियगयं रूवाइविसेसणं लहइ ।।१८ ।। વળી જે દ્રવ્યજાતિ અને ગુણજાતિના ભેદ વિષે એકાંત પક્ષપાત છે, એ પહેલાં જ દૂષિત કર્યો છે. હવે અહીં જે કહેવાનું એ તો ફકત અદસાધક ઉદાહરણ માત્ર છે. [૧૬] પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ અને ભાઈને એક જ પુરુષ સાથે જુદે જુદે સંબધ માનવો જોઈએ. કારણ કે તે એક બાપ છે તેથી બાકી બધાને બાપ નથી થતો. [૧૭] જેવી રીતે પુરુષરૂપે સમાન હોવા છતાં જુદા જુદા સંબંધને લીધે ભિન્ન બને છે, તેવી રીતે એક જ દ્રવ્ય ઇંદ્રિથોને પ્રાપ્ત થવાથી પ વગેરે ભેદોને પ્રાપ્ત કરે છે. અર્થાત્ રૂ૫ રસ આદિ અનેક વિશેષરૂપે વ્યવહારાય છે. [૧૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy