SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ ૨૬૪ એટલે તે ભેદવ્યવહાર શી રીતે પામી શકે ? અને ભેદવ્યવહાર તે પ્રામાણિક છે જ; તેથી માનવું જોઈ એ કે, દ્રવ્ય અને પર્યાય પરસ્પર અભિન્ન છે. આમ માનવાથી જવરૂપે એક હાવા છતાં પુરુષપર્યાય અને દેવપર્યાય પરસ્પર ભિન્ન હોવાથી એ પર્યાયેાથી અભિન્ન એવા જીવ પણુ પુરુષ અને દેવ રૂપે ભિન્નપણાને વ્યવહાર નિર્માધપણે પામે છે. આ ઉપરથી કૂલિત એમ થયું કે સત્ હેવાને કારણે પર્યાય એ દ્રવ્યથી અને દ્રવ્ય એ પર્યાયથી અભિન્ન છે; જેમ મનુષ્ય અને તેના આરાજત્વ આદિ પર્યાય. તેમ જ સત્ હોવાના કારણે કેવલજ્ઞાન પર્યાય અને દ્રવ્ય એ અને પરસ્પર અભિન્ન હોવાથી કેવલરૂપ જીવ એમ કહેવું અસંગત નથી. અહીં જીવમાં કૈવલના અભેદ સિંદ્ઘ કરી શકાય એવું- સામાન્યને વિશેષથી અભિન્ન સિદ્ધ કરનાર — અનુમાન આ પ્રમાણે દેરી શકાયઃ સામાન્ય એ વિશેષાથી અભિન્ન છે; શાથી જે તેમાં વિશેષોને લીધે ભેદવ્યવહાર પ્રામાણિકપણે થાય છે; જેમ એક જ મનુષ્ય ક્યારેક અરાજા અને ક્યારેક રાજારૂપે વ્યવહાર પામે છે તેમ એક જ જીવ ક્યારેક અકેવલી રૂપે અને ક્યારેક કૈવલીરૂપે વ્યવહારાય છે. માટે તે જીવદ્રવ્ય કેવલ અને ડેવલપર્યાયથી અભિન્ન છે. જો એ પર્યાયથી માત્ર ભિન્ન જ છે એમ સ્વીકારીએ, તે। પર્યાયાના ભેદ પર્યાયામાં જ રહે અને જીવમાં વ્યવહાર જ પામે. [૩૭૪૨] -- અભિન્ન પર્યાયાની ભિન્નતાનું ઉપપાદન~~ संखेज्जमसंखेज्जं अनंतकप्पं च केवलं जाणं । तह रागदोसमोहा अण्णे वि य जीवपज्जाया ।। ४३ ।। કૈવલજ્ઞાન એ સખ્યાત અસખ્યાત અને અનત પ્રકારનું છે; તેવી રીતે રાગ દ્વેષ અને મેહ રૂપ બીજા પણ જીવપર્યાયે. સમજવા. [૪૩] શાસ્ત્રમાં કેવલજ્ઞાનને સખ્યાત અસ ંખ્યાત અને અનંત પ્રકારનું કહ્યું છે; તે જ પ્રમાણે રાગ દ્વેષ અને મેહ રૂપ વૈભાવિક પર્યાયાને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy