SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કાંડ ઃ ૨૩૪ ૨૫૧ એકદેશીએ આપેલ દષ્ટાંતની સમાલોચના– जइ ओग्गहमेत्तं दंसणं ति मण्णसि विसेसिअं णाणं । मइणाणमेव दंसणमेवं सइ होइ निप्फण्णं ।। २३ ।। एवं सेसिदियदंसणम्मि नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं घेप्पइ चक्खुम्मि वि तहेव ॥ २४ ।। અવગ્રહમાત્ર એ દર્શન અને વિશેષગ્રહણ એ જ્ઞાન છે એમ જે તું માને, તે તેથી ફલિત થાય છે કે મતિજ્ઞાન જ દશન છે. [૩] એ જ પ્રમાણે શેષ ઇદ્રિના દર્શનમાં પણ નિયમથી ફલિત થશે. પરંતુ તે યુક્ત નથી. હવે જે તેમાં અન્ય ઇંદ્રિાના વિષયમાં જ્ઞાનમાત્ર માનવામાં આવે, તો નેત્રના વિષયમાં પણ તેમ જ માનવું ઘટે. [૨૪] એકદેશીસમ્મત અભેદ તો સિદ્ધાંતીને પણ માન્ય છે; પરંતુ તેણે આપેલ છાંત સિદ્ધાંતીને ગ્રાહ્ય નથી. તેથી એ પિતાની અરુચિ જણાવવા તે દાંત માનતાં શું શું અનિષ્ટ પ્રાપ્ત થાય છે એ સમાલોચના દ્વારા જણાવે છે. - સિદ્ધાંતી એકદેશીને કહે છે કે, જો તું મતિના અવગ્રહમાત્ર અંશને દર્શન અને વિશેષગ્રહણને જ્ઞાન માનીશ, તે ચક્ષુઈદ્રિયના વિષયમાં ચાક્ષુષ અવગ્રહ મતિજ્ઞાન એ જ ચક્ષુદર્શન એમ ફલિત થશે. તે જ રીતે બીજી ઈનિા વિષયમાં પણ થવાનું. એટલે શ્રેત્રજ અવગ્રહ મતિ એ જ શ્રેત્રદર્શન અને ધ્રાણજ અવગ્રહ મતિ એ જ ઘાણદર્શને ઈત્યાદિ માનવું પ્રાપ્ત થશે. પરંતુ શાસ્ત્રમાં ક્યાંયે શ્રોત્રદર્શન બ્રાહુદર્શનને વ્યવહાર નથી, એટલે તેમ માની લેવું યોગ્ય નથી. જે શ્રેત્રદશન ઘાણદશન આદિ વ્યવહાર ન હોવાથી અને શ્રોત્રવિજ્ઞાન અને ધ્રાણુવિજ્ઞાન આદિ વ્યવહાર હોવાથી અવગ્રહમાં દર્શનની માન્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy