SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ સન્મતિ પ્રકરણ ન હોય તેવું અખંડ અભેદરૂપ પણ નથી; પરંતુ એમાં ભેદ અને અભેદ બને અનુભવાય છે. જયારે દષ્ટિ વસ્તુઓના પરસ્પર ભેદને મૂકી કેવળ તેમના અભેદને અવલંબી પ્રવર્તે છે, ત્યારે તેને બધુંયે કેવળ સત રૂપ ભાસે છે. સતગ્રાહક દૃષ્ટિ ગમે તેટલી વિશાળ હોય, છતાં લેવું મૂકવું આદિ લેકવ્યવહાર તો ભેદને જ આભારી છે. તેથી જ્યારે કાંઈ પણ વ્યવહાર કરવાનું હોય છે, ત્યારે દૃષ્ટિ કાંઈક ભેદ તરફ ઢળે છે; અને પ્રથમ ગ્રહણ કરેલ સતરૂપ અખંડ તત્ત્વના પ્રયોજન પ્રમાણે જીવ, અજીવ આદિ ભેદોને અવલંબે છે. અહીં સત્તારૂપ તત્ત્વને અખંપણે ગ્રહણ કરનાર પ્રથમ દષ્ટિ તે સંગ્રહ નય છે, અને તે જ શુદ્ધ દ્રવ્યાસ્તિક નય છે; અને સત્તાને જીવ, અજીવ આદિપે ખંડિત કરી, તે દ્વારા વ્યવહાર ચલાવવા મથતી પરિમિત અભેદસ્પશી બીજી દષ્ટિ એ વ્યવહાર નય છે. વ્યવહાર એ પરિમિત હેવાથી અપરિમિત સંગ્રહને જ અંશ છે. તેથી જે કે તે શુદ્ધ દ્રવ્યાસ્તિકનો એક પરિમિત ખંડ છે, છતાં સંગ્રહ અને વ્યવહાર એ બન્ને દ્રવ્યારિતક નયને અનુક્રમે શુદ્ધઅપરિમિત અને અશુદ્ધપરિમિત અંશે કહી શકાય. [૪] ઋજુસૂત્રના ભેદે – मूलणिमेणं पज्जवणयस्स उज्जुसुयवयणविच्छेदो । तस्स उ सद्दाईआ. साहपसाहा सुहुमभेया ।। ५ ।। ત્રાજુસૂત્ર નયને અર્થાત્ તદનુસરી જે વચનવિભાગ, એ પર્યાયનયને મૂળ આધાર છે; અને શબ્દ આદિ નયે તે તે જુસૂત્રની જ ઉત્તરોત્તર સૂક્ષ્મ ભેદવાળી શાખા-પ્રશાખા • અહીં પણ બે વાત કહી છેઃ ૧. પર્યાયાસ્તિકના ભેદો; અને ૨. તેમનો પરસ્પર સંબંધ. સંગ્રહ અને વ્યવહાર પછીના ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ચાર નયોને પર્યાયાસ્તિકના ભેદ કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy