SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ : સમતિ પ્રકરણ શ્વેતાંબર પરંપરામાં જે એ રૂપની મહાવીરના નામ તરીકે વિશેષ પ્રસિદ્ધિ હત, તો ઉક્ત ભ્રમ થવા ન પામત એ ખુલ્લું છે. પ્રાકૃતમાં સમર અને સંસ્કૃતમાં સન્મતિ એટલું જ નામ પ્રાચીન ગ્રંથોના અવતરણ ઉપરથી નિશ્ચિત થાય છે. તેમ છતાં તેની સાથે તર્જ શબદને વ્યવહાર બહુ જ પ્રસિદ્ધ થઈ ગયા છે અને એ વ્યવહાર ગ્રંથનો વિષય જતાં તેમ જ ગ્રંથકારની તકેદષ્ટિ જોતાં બરાબર બંધ બેસતો પણ છે; તેથી જ એ પ્રચલિત વ્યવહારને માન આપી અમે સમતા એવું નામ પહેલા ચાર ભાગોમાં છાપેલું. પણ છેલ્લા પાંચમા ભાગમાં સમત- એ જ પ્રાચીન નામ છાપ્યું છે. પાંચમા ભાગમાં ત્રીજા કાંડની શરૂઆતના પાના ઉપર સમિતિકરમ નામ છાપેલું છે પણ બહારના અને અંદરના પૂઠ ઉપર તથા પ્રસ્તાવનામાં પણ કેટલેક સ્થળે પૂર્વના અધ્યાસથી તર્જ શબ્દ એમને એમ પડી રહેલે હમણાં જ દેખાય છે. તેને વાંચો સુધારીને વાંચશે. સન્મતિ નામને પ્રસ્તુત ગ્રંથ પ્રકરણ કહેવાય છે. અને તેને ટીકાકારેએ પ્રથમથી જ પ્રકરણ તરીકે નિર્દેશ પણ કર્યો છે. પ્રકરણનો સામાન્ય અર્થ એટલે જ કરી શકાય કે કોઈ પણ એક વિષયને મુખ્યપણે અવલંબી, અતિ વિસ્તાર ન કરતાં ગદ્ય કે પદ્યમાં તેનું વિવેચન કરનાર ગ્રંથ તે પ્રકરણ. ટીકામાં દરેક કાંડને છેડે આપેલા ઉલ્લેખ પરથી એ તો નકકી છે કે ટીકાકારે પિતાની ટીકાનું “તત્વવધવિધાfયનો” એવું નામ રાખેલું છે. ટીકાકારે પોતાની પ્રસ્તુત સન્મતિની વ્યાખ્યા માટે ટીકા શબ્દ નહિ પણુ વૃત્તિ શબ્દ વાપરેલ છે. ટીકાકાર અભયદેવને જે છૂટોછવાયે બહુ થડે પરિચય મળે છે, તેમાં તેમની કૃતિ તરીકે ૧૫૨“વાતાવરને જ ઉલ્લેખ છે. વિચાર કરતાં સ્પષ્ટ લાગે છે કે પ્રસ્તુત “તત્ત્વબેધવિધાયિની ” સન્મતિવૃત્તિનું “વાદમહાર્ણવ” એવું બીજું અનુરૂપ નામ પાછળથી ૧૫ર. જુઓ ટિપણ ૧૩૯–૧૪૦-૧૪૧ મું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy