SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ : પરંતુ તેમની ઉપલબ્ધ બત્રીશી વગેરે કઈ સંસ્કૃત કૃતિઓમાં એ દેખાનું નથી. જે એમની લુપ્ત કૃતિઓમાંનું એ પદ્ય ન હોય, તે તે બીજા જ કેઈનું હોવું જોઈએ. સિદ્ધસેને સન્મતિ ઉપરાંત અભેદસ્થાપક બીજું પણ કાંઈક સ્વતંત્ર પ્રકરણ રચ્યું હોય એવી ધારણા તે રહે છે જ. ૧૦૧ અભયદેવે મહૂવાદીને યુગપવાદના પુરસ્કર્તા કહ્યા છે તેને અર્થશે એ પણ એક સવાલ છે. દિગંબરોનો યુગપવાદ મલવાદી પહેલાં કુંદકુંદના ગ્રંથથી જ સિદ્ધ છે. મલવાદીને અત્યારે કોઈ ગ્રંથ અવિકલ ઉપલબ્ધ નથી; એટલે એનો અર્થ એટલે જ લાગે છે કે અભયદેવ સામે યુગપવાદને વ્યવસ્થિત રીતે ચર્ચનાર માવારિચિત કેઈ સ્વતંત્ર પ્રકરણ અથવા ટીકાત્મક ગ્રંથ હશે. " સિહક્ષમાશ્રમણ, હરિભદ્ર અને ગધહસ્તી સિહક્ષમાશ્રમણે ૧૨નયચક્રમાં અનેક સ્થળે સિદ્ધસેનના નામ સાથે અને નામ વિના સન્મતિની અનેક ગાથાઓ fસક્ષમામા ઉદરેલી છે. અને એ ગ્રંથને છેડે એમ જણાવ્યું છે કે સન્મતિ અને ન્યાયાવતાર જેવા નવિષયક પ્રૌઢ ગ્રંથે હોવા છતાં તે ઘણા દુર્ગમ અને સંક્ષિપ્ત હોવાથી, વિસ્તરચિ માટે આ નયચક્ર કરવામાં આવ્યો છે. ગ્રંથકારનો આ એક જ ઉલ્લેખ તેમના પિતા ઉપર સિદ્ધસેનને કેટલે બધો પ્રભાવ છે એ જણાવવાને બસ છે. હરિભક ઉપર સિદ્ધસેનને પ્રભાવ સ્પષ્ટ છે. તેમણે સિદ્ધસેનને સન્મતિદ્વારા લબ્ધપ્રતિકરૂપે વર્ણવ્યા તો છે જ, મિત્ર પરંતુ ઉપરાંત એમણે અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, પડદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહણી આદિ અનેક ગ્રંથની રચનામાં સિદ્ધસેનની સન્મતિ, ન્યાયાવતાર અને બીજી ૧૦૧. સન્મતિટીકા પૃ૦ ૬૦૮, પં૦ ૨૧. ૧૦૨. જુઓ પરિશિષ્ટ બીજું “સિંહક્ષમાશ્રમણ'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy