SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 94 સન્મતિ પ્રકરણ બાબતથી ભિન્ન પડતી આમિક બાબતે તેમણે પોતાના ભાષ્યમાં વવી છે, છતાં સાથે સાથે સન્મતિમાં દેખાતા એ સિદ્ધસેનના વિચારે પણ મૂળ ભાષ્યમાં લેવામાં આવ્યા છે; અને ટીકાકાર મલધારી એવે સ્થળે એ વિચારોને સિદ્ધસેનના જ કહી ગાથાઓની વ્યાખ્યા કરે છે. મલધારી સામે પૂર્વ ટીકાઓની પરપરા હેાવાથી અને ભાષ્યમાં અન્ય સ્થળે આગળના વિરાધી મત એમની સામે હાવાથી એમનું એ કથન વજ્રાળું છે એમ માનવું જોઈએ. એટલે અહીં કલિત એમ થાય છે કે, જો કે જિનભદ્ર સિદ્ધસેનના પ્રતિવાદી હતા છતાં જે જે ખાતામાં પ્રતિવાદ કરવા જેવું આગમથી ખાસ વિરુદ્ધ તેમને ન જણાયું, ત્યાં ઉદારભાવે સિદ્ધસેનના વિચારને પણુ આગમપર પરાના વિચારાની જેમ પોતાના ભાષ્યમાં તેમણે સ્થાન આપ્યું. આવા વિચારમાં અહીં મુખ્ય એ વિચાર દર્શાવવામાં આવે છે. એક નયસંખ્યાને અને ખીજો નિક્ષેપ તથા મૂળ નયમાં નવશેષોની અવતારણાને (૧) ભાષ્યમાં મૂળ તરીકે લીધેલી અને ટીકાકારે નિયુક્તિરૂપે ઓળખાવેલી ગા ૨૨૬૪માં સાત પ્રકારના અને પાંચ પ્રકારના નયના ઉલ્લેખ છે. સિદ્ધસેન પોતાના સન્મતિ કાં ૧ ગાં૦ ૪-૫માં સંગ્રહથી શરૂઆત કરતા હોઈ છ પ્રકારના નય માનનાર તરીકે જાણીતા છે નિયુક્તિની કહેવાતી એ ગાથા ઉપરના ભાષ્યમાં જો જિનભદ્રે છ પ્રકારના નયના ઉલ્લેખ કર્યાં નથી; છ્તાં ખીજા પ્રસંગાએ તેમણે સિદ્ધસેનના ષડ્મયવાદને પશુ ભાષ્યમાં જ ગાળ્યા છે. નિક્ષેપમાં નયનાની અવતારણા તેએએ સગ્રહનયથી જ કરી છે; વિ ભા॰ ગા॰ પ અને નયદ્વારમાં ગા૦ ૩૫૮૬ માં સંગ્રહનયથી જ નયનું નિરૂપણ કર્યું છે, જ્યારે મીન૯૧ અનેક રથળાએ તે નયના વિચારમાં નેગમથી શરૂઆત કરી સાતે નયા સવિસ્તર વધુ વે છે અને સત્ર તેમને જ ઘટાવે છે. આ ચર્ચા એટલું સ્પષ્ટ કરવા માટે બસ ૯૧. વિશેષાવશ્યકભાષ્ય ગા૦ ૨૧૮૧ ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy