________________
સન્મતિ પ્રકરણ કાળ તીર્થ એટલું બધું પ્રતિષ્ઠિત થઈ ગયું હતું કે, તેને લીધે દરેક સંપ્રદાયની ભાવના તેની ચોમેર વીંટળાઈ ગઈ હતી. બહુ પ્રાચીનકાળથી પ્રતિષ્ઠિત કાશતીર્થને લક્ષીને જૈન, બૌદ્ધ અને વૈદિક સંપ્રદાયવાળાએ પિતા પોતાની ભાવના સ્થિર કરેલી છે, તેમ મહાકાળ તરફ પણ તે દરેકની ભાવના બંધાયેલી હતી. દિવાકરની સ્તુતિને લીધે શિવલિંગમાંથી જૈન મૂર્તિ પ્રકટ થયાનું કથન એવી જ ભાવનાને આભારી છે.
છે. (૧) અમે જે પાંચ પ્રબંધે વિષે ઉપર કહી આવ્યા છીએ, તેમાંના સૌથી જૂના અને ટૂંકા ગદ્ય પ્રબંધમાં સિકસેનની કૃતિઓ વિષે એટલું જ કથન છે કે, “બત્રીશીઓ દ્વારા સ્તુતિ આરંભી અને અનુક્રમે પત્રીશમી બત્રીશી પૂર્ણ થતાં વેંત જ પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટી”. એ જ વાત ત્યાર પછીના ૫૮લિખિત પદ્ય પ્રબંધમાં છે. ગદ્ય પ્રબંધમાં બત્રીશીઓની બત્રીશ સંખ્યા અર્થાત સમજાય છે, ત્યારે આમાં બત્રીશ બત્રીશીઓ એમ એખું કહેલું છે. એ પદ્ય પ્રબંધ પછી રચાયેલ ૫૮“પ્રભાવક ચરિત્રમાં બત્રીશ સ્તુતિઓથી સ્તુતિ કર્યાનું કથન તે છે જ, પણ વધારામાં એ બત્રીશ બત્રીશીઓની છેડી વિગત આપેલી છે. તે એ કે, એક વીરસ્તુતિ, એક ન્યાયાવતાર અને ત્રીશ બત્રીશીઓ – એમ કુલ બત્રીશ. આ બત્રીશ બત્રીશીઓ ઉપરાંત એમાં ૪૪
૫૭. “સિદ્ધસેન પદ્ધ વિત્તીfસયાજીરું નાથુ ૪ ૪ જેસરसीसाओ नीसरती पाससामिपडिमा कमंकमेण य बत्तीसइमबत्तीसियाસમg grs[vi દૃન વિઠ્ઠો રાય જોશો |લિખિત કથાવલી. ૫૮. “તરામચર તે પદ્ધ નિસમરું !
વીરુ વસિયતું કમળ છે યથા” – આ ગાથા પછી ૪૧મા ટિપ્પણમાં જણાવેલા ચાર શ્લોકો અહીં આવેલા છે. “ एवं कमंकमेणं अंतिमबत्तीसियाय पज्जते । पडिपुन्नगोवंगा पयंसिया पासपटिम ति"
લિખિત પદ્ય પ્રબંધ. ૫૯. જુઓ પાછળ પાન ૮૩–૪.
Jain Education International
FO! '
For Private & Personal Use Only
www.jainelibrary.org