SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. વી૨પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરે સ્થાનકવાસીસંમત મુહપત્તિબંધન અને મૂર્તિઉત્થાપન એ બંનેનો ત્યાગ કર્યો. હું પોતે પણ એમ માનું છું કે મુહપત્તિનું ઐકાન્તિક બંધન એ વસ્તુતઃ શાસ્ત્રસંમત તેમજ વ્યવહાર્ય નથી. એ જ રીતે એમ પણ માનું છું કે આધ્યાત્મિક વિકાસક્રમમાં અધિકારી-વિશેષ વાસ્તે મૂર્તિ-ઉપાસનાનું સમુચિત અને શાસ્ત્રીય સ્થાન છે. તેમ છતાં એ પ્રસિદ્ધ સૂરીશ્વરના સ્મારક અંકમાં એમના એ અંશની સ્મૃતિ નિમિત્તે આ લેખ લખી રહ્યો નથી, કારણ કે એક તો એ ચર્ચા હવે બહુ રસપ્રદ રહી નથી; તેમજ જૈનેતર અને ઐતિહાસિક વાચકોને એમાંથી કાંઈ વધારે જાણવા જેવું મળે એમ પણ આજે દેખાતું નથી. તેથી ઉપરના મથાળા નીચે હું એક એવા મુદ્દાની સંક્ષેપમાં ચર્ચા કરવા ધારું છું કે જેની સાથે ઉક્ત સૂરીશ્વરનો સંબંધ પણ હતો અને જે મુદ્દો ઐતિહાસિક દૃષ્ટિએ ખાસ અગત્યનો હોઈ સર્વસાધારણ વાચકો વાસ્તે એકસરખો ઉપયોગી છે. કે ધાર્મિક ભાવના જ્યારે સાંપ્રદાયિક રૂપ ધારણ કરી લે છે ત્યારે તે બહુ આળી બની જાય છે. એમાં સત્યદર્શન અને નિર્ભયતાનો અંશ દબાઈ જાય છે. તેથી સાંપ્રદાયિક વસ્તુતઃ ધાર્મિક કોઈ એક મુદ્દાની ચર્ચા, ઐતિહાસિક દૃષ્ટિએ કરવા જતાં પણ, કેટલાક વાચકોના મનમાં સાંપ્રદાયિક ભાવની ગંધ આવવાનો સંભવ છે, એ મારા ધ્યાન બહાર નથી. વળી આજકાલ પ્રતિષ્ઠિત થયેલી ઐતિહાસિક દૃષ્ટિને નામે અગર તેની આડમાં સાંપ્રદાયિક ભાવનું પોષણ કરવાની પ્રવૃત્તિ વિદ્વાન કે વિચારક ગણાતા લેખકોમાં પણ જ્યાં ત્યાં દેખાય છે. એ બધાં ભયસ્થાનો છતાં હું પ્રસ્તુત ચર્ચામાં ઊતરું છું તે એક જ ખાતરીથી, અને તે એ કે જેઓ અસાંપ્રદાયિક અગર સાંપ્રદાયિક ખરેખર વિચારકો હશે, જેઓ સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસી હશે તેમને મારી આ ચર્ચા કદી સાંપ્રદાયિક ભાવથી રંગાયેલી નહિ જ ભાસે. જૈન પરંપરા, જેને આ સ્થળે હું વીરપરંપરા કહું છું, તેના અત્યારલગીમાં નાનામોટા ફાંટા-ઉપાંટા ગમે તેટલા હોય, પણ એ બધા સંક્ષેપમાં શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી – એ ત્રણ જ ફિરકામાં આવી જાય છે. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરાનું અસ્તિત્વ ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ છે. તે પરંપરાને વીરપૂર્વપરંપરાના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy