SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર • જૈન ધર્મ અને દર્શન માર્ગ એક જ હોય છે અને તે એ કે તેણે પણ પોતાના સંપ્રદાયના પાયા ટકાવી રાખવા માટે બીજા વિરોધી અને પાડોશી સંપ્રદાયમાં ચાલતી આકર્ષક વાતો જેવી વાતો અથવા તેથી વધારે સારી વાતો યોજી, લખી લોકો સામે રજૂ કરવી. આ રીતે પ્રાચીન અને મધ્યયુગમાં જેમ ધર્મભાવના જાગ્રત રાખવાની દૃષ્ટિએ તેમ સંપ્રદાયના પાયા મજબૂત કરવાની દૃષ્ટિએ પણ મુખ્યપણે મન્ત્ર-તંત્ર, જડી-બુટ્ટી, દેવી ચમત્કાર ઇત્યાદિ ધર્મતત્ત્વની સાથે અસંગત એવાં સાધનોનો ઉપયોગ થતો. ગાંધીજી ઉપવાસ કે અનશન આદરે છે. દુનિયાની મોટામાં મોટી શહેનશાહતના સૂત્રધારો વિચારમાં પડે છે. ગાંધીજીને જેલમાંથી મુક્ત કરે છે. ફરી પકડે છે. વળી ફરી ઉપવાસ શરૂ થતાં છોડી દે છે. આખા દેશમાં જ્યાં જ્યાં ગાંધીજી જાય છે, ત્યાં ત્યાં જનસમુદ્રમાં ભરતીનું મોજું આવે છે. કોઈ તેમનો અતિ વિરોધી પણ જ્યારે તેમની સામે જાય છે ત્યારે એક વાર તો તે મનોમુગ્ધ થઈ ગર્વગલિત થઈ જાય છે – આ બધી વાસ્તવિક વસ્તુ છે, સ્વાભાવિક છે અને મનુષ્યબુદ્ધિગમ્ય છે. પરંતુ આ યુગમાં આ બધી વસ્તુને જો કોઈ દેવી બનાવ તરીકે વર્ણવે તો તે વસ્તુને જેમ કોઈ બુદ્ધિમાન સાંભળે કે સ્વીકારે પણ નહિ તેમ આ યુગમાં તેની જે ખરી કિંમત અંકાય છે તે પણ ઊડી જાય. આ યુગબળનો એટલે વૈજ્ઞાનિક યુગનો પ્રભાવ છે. આ બળ પ્રાચીન કે મધ્યયુગમાં ન હતું. તેથી તેમાં આવી જ કોઈ સ્વાભાવિક વસ્તુને જ્યાં સુધી દેવી પાસ કે ચમત્કારોનો પાસ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે લોકોમાં પ્રચાર પામી શકે નહિ. બે યુગ વચ્ચેનું આ ચોખ્ખું અંતર છે, એ સમજીને જ આપણે પ્રાચીન અને મધ્યકાલીન યુગની વાર્તાઓ અને જીવનવૃત્તાંતોનો વિચાર કરવો ઘટે છે. ત્યારે હવે છેવટે સવાલ એ થાય છે કે એ શાસ્ત્રમાંની ચમત્કારી અને દેવી ઘટનાઓને અત્યારે કેવા અર્થમાં સમજવી કે વાંચવી ? જવાબ સ્પષ્ટ છે અને તે એ કે કોઈપણ મહાન પુરુષના જીવનમાં સાચું અને માનવા જેવું તત્ત્વ તો “શુદ્ધબુદ્ધિવાળો પુરુષાર્થ એ હોય છે. આ તત્ત્વને લોકો સામે મૂકવા માટે શાસ્ત્રલેખકો વિવિધ કલ્પનાઓ પણ યોજે છે. ધર્મવીર મહાવીર હો કે કર્મવીર કૃષ્ણ, પણ એ બંનેના જીવનમાંથી લોકોને શીખવવાનું તત્ત્વ તો એ જ હોય છે. ધર્મવીર મહાવીરના જીવનમાં એ પુરુષાર્થ અંતર્મુખ થઈ આત્મશોધનનો માર્ગ લે છે અને પછી આત્મશોધન વખતે આવતા અંદર કે બહારના પ્રાકૃતિક ગમે તેવા ઉપસર્ગોને એ મહાન પુરુષ પોતાના આત્મબળ અને દઢ નિશ્ચયથી જીતી લે છે, તેમજ પોતાના ધ્યેયમાં આગળ વધે છે. આ વિજય કોઈપણ સાધરણ માણસ માટે શક્ય નથી હોતો, તેથી તે વિજયને દેવી વિજય તરીકે ઓળખાવવામાં કશી જ અતિશયોક્તિ નથી. કર્મવીર કૃષ્ણના જીવનમાં એ પુરુષાર્થ બહિર્મુખ થઈ લોકસંગ્રહ અને સામાજિક નિયમનને માર્ગે વળે છે. એ ધ્યેય સાધતાં જે દુશ્મનો કે વિરોધી વર્ગ તરફથી અડચણો ઊભી થાય છે તે બધી અડચણોને કર્મવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy