SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ • ૨૩૯ અને તેમાં પણ પોતાના દેશવાસીઓથી પહેલી કરી છે, કારણ કે એ જાણે છે કે દૂર તે તો દૂર જ છે, અને નજીકનાનો ખ્યાલ ન કરાય તો બંને દૂર જ પડી જવાના. એણે કોઈ રાજા મહારાજા કે સત્તાધીશ પાસેથી દયાનાં ફરમાન મેળવવાનો યત્ન નથી કર્યો, પણ એનું વાક્ય જ દયાનું ફરમાન બની ગયું છે; કારણ એ છે કે તે માનવજાતને અકારી થઈ પડેલ અને માનવજાતનો ભોગ લેતી એવી લડાઈમાં જ મૂળ ઉખેડવા માગે છે. એને અહિંસા અને સત્યની રક્ષા અને પ્રચાર માટે નથી કોર્ટે જવાની જરૂર પડી, નથી પક્ષાપક્ષી કરી મારામારી કરાવવાની જરૂર પડી. એને એની રક્ષા પોતાના હાથમાં જ દેખાય છે. એ પયગંબર કોઈપણ સત્તાધારીની શેમાં નથી તણાતો. એને તો મહાપ્રતાપી ગણાતા રાજ્યકર્તાઓની સામે પણ થવું પડે છે. જેના ઉપર અન્યાય ગુજરતો હોય અને જેનો કોઈ બેલી ન હોય એની વહારે વગર હથિયારે માત્ર મૈત્રીનું શરણ લઈ દોડી જવું એ એક જ આ પયગંબરનો જીવનવ્યવસાય છે. મનુષ્યદયા પછી એની દયા પશુઓમાં ઊતરે છે અને તે પણ મર્યાદિત રીતે, કારણ કે એ જાણે છે કે પશુઓની જેટલી અહિંસા કે દયા પાળી શકાય તેટલી લોકોને ઓછી લાગે, તેથી તેના તરફ તેઓ ધ્યાન ન આપે અને તેને સિદ્ધ ન કરે, અને જેની વાત અને ચર્ચા કરવામાં આવે તે પાળવી શક્ય ન હોય, વધારે તો ન પળાય પણ જે શક્ય હોય તે ઓછી પણ ન પળાય, એટલે એકંદર અહિંસાધર્મ ચર્ચામાં જ રહી જાય. માટે જ એણે અહિંસાપાલનની પશુજાતિમાં પણ મર્યાદા આંકી છે. એ પયગંબરની ભાવના છે અને તે શોધે છે કે એવો કોઈ માર્ગ છે કે જે દ્વારા અત્યારે બચાવવાનું શક્ય દેખાય છે તે કરતાં વધારે બીજાં જીવોને અને પશુઓને બચાવી શકાય. એવી શોધ અને તાલાવેલી તેમજ પગ વાળીને ન બેસવાની જુવાની એ જ એ વૃદ્ધ પયગંબરની સફળતાનું કારણ છે. એના જીવનમાંથી આપણે શું શીખીએ ? વધારે નહિ તો આટલું તો શીખીએ જ: (૧) સ્વદેશીધર્મ અને ખાસ કરી ખાદી સિવાય બીજાં કપડાં માત્રનો ત્યાગ. (૨) જીવિત ચામડાંની વસ્તુના વાપરનો ત્યાગ. (૩) કોઈપણ જાતના કેફી પીણાંનો ત્યાગ. આપણા જૈનો માટે તો બીડી, હોકા, સિગારેટ વગેરેનો ત્યાગ. (૪) સૌથી મહત્ત્વનું અને છેલ્લું આપણું કર્તવ્ય એ છે કે આપણે શાસનરક્ષા માટે ફંડો જમા ન કરીએ – એ ફંડોને કોર્ટે જઈ ન ખર્ચીએ. છાપાંઓ ને પુસ્તકો દ્વારા મનુષ્યત્વને લજવે એવો વિષપ્રચાર ન કરીએ. પક્ષાપક્ષી અને દળબંદીમાં ન રાચીએ. - પર્યુષણપર્વમાં વ્યાખ્યાનો, ૧૯૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy