SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬૦ જૈન ધર્મ અને દર્શન લાખથી ઓછો ખર્ચ નથી કરતા, અને એ પાંજરાપોળોના આશ્રયમાં કાંઈ નહિ તો નાનામોટા લાખેક જીવો સારસંભાળ પામતા હશે. ગુજરાત બહારના ભાગમાં જ્યાં જ્યાં ગોશાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયોની જ રક્ષા કરવામાં આવે છે. ગોશાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજારો ગાયો રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા હો કે ગોશાળાની સંસ્થા હો, પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસાપ્રચારક સંઘના પુરુષાર્થને જ આભારી છે એમ કોઈપણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડિયારાની પ્રથા, જળચરોને આટાની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારો અને દેવીના ભોગો બંધ કરાવવાની પ્રથા એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજાં જીવજંતુઓ વિશે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધોધબંધ ચાલતી કે તેમાં કોઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા દુષ્કાળોમાં જગડુશા જેવા સખી ગૃહસ્થોએ પોતાના અન્નભંડારો અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજી ક્ષુદ્ર જીવો માટે કરોડો રૂપિયા ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણી ઓછી હોય અગર તો તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણા દેશનું આતિથ્ય જાણીતું છે અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લાખો ત્યાગી અને ફકીરો થઈ ગયા અને આજેય છે. તે એક આતિથ્ય કે મનુષ્ય તરફની લોકોની વૃત્તિનો પુરાવો છે. અપંગો, અનાથો અને બીમારો માટે બને તેટલું વધારેમાં વધારે કરી ફીટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેનાં શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લોકરુચિનો પડઘો છે. મનુષ્યજાતિની સેવાની દિવસે દિવસે વધતી જતી જરૂરિયાતને લીધે, અને પડોશીધર્મની અગત્ય સર્વથી પ્રથમ હોવાને લીધે, ઘણીવાર ઘણા ભાઈઓ આવેશ અને ઉતાવળમાં અહિંસાના પ્રેમી લોકોને એમ કહી દે છે કે એમની અહિંસા કીડીમકોડી અને બહુ તો પશુપંખી સુધી વ્યાપેલી છે, માનવજાતને અને દેશભાઈઓને તે બહુ ઓછી સ્પર્શે છે; પણ આ વિધાન બરાબર નથી એની સાબિતી માટે નીચેની હકીકત બસ ગણાવી જોઈએ ઃ (૧) જૂના અને મધ્યકાળને બાજુએ મૂકી માત્ર છેલ્લાં સો વર્ષના નાનામોટા અને ભયંકર દુષ્કાળો તેમજ બીજી કુદરતી આફતો લઈ તે વખતનો ઇતિહાસ તપાસીએ કે તેમાં અત્રકષ્ટથી પીડાતા માનવો માટે કેટકેટલું અહિંસાપોષક સંઘ તરફથી ક૨વામાં આવ્યું છે ! કેટલા પૈસા ખરચવામાં આવ્યાં છે ! કેટલું અન્ન વહેંચવામાં આવ્યું છે ! દવાદારૂ અને કપડાં માટે પણ કેટલું કરવામાં આવ્યું છે ! દા. ત., છપ્પનિયો દુષ્કાળ લો કે જેની વિગતો મળવી શક્ય છે. (૨) દુષ્કાળો અને બીજી કુદરતી આફતો ન હોય તેવે વખતે પણ નાના ગામડા સુધ્ધાંમાં જો કોઈ ભૂખે મરતું જાણમાં આવે તો તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy