SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરીષહ • ૨૨૩ એટલે આજે સ્વરાજ મેળવવામાં કહો કે તેને સાચવવામાં કહો, જેટલા બળની દરકાર છે તે બધું જ આપણી પાસે છે. ફક્ત ખામી હોય તો એટલી જ છે કે તેનો ઉપયોગ કોઈ નિશ્ચિત ઉદ્દેશમાં વ્યવસ્થિત રીતે થતો નથી. ફક્ત આપણા દેશની સ્ત્રીઓમાં જ જે તપ કરવાનું અને આફતો સહન કરવાનું બળ છે અને જેટલું બળ આજકાલ તેઓ તેમાં વાપરે છે, તે બહેનો ધારે તો એટલા જ બળના વ્યવસ્થિત અને વિચારપૂર્વકના ઉપયોગથી; પુરુષોની જરા પણ મદદ સિવાય, સ્વરાજ મેળવી શકે, કારણ કે આજની રાષ્ટ્રીય પ્રવૃત્તિની સફળતા માત્ર તપસ્યા અને સહનશીલતા ઉપર જ અવલંબેલી છે – જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં છે. એટલે આજે આપણા હજારો વર્ષના વારસાનો સુંદરતમ ઉપયોગ કરવાની તક પ્રાપ્ત થઈ છે; એનો ઉપયોગ કરવો અને એ દિશામાં વિચાર કરવો એમાં જ આપણા આ પર્યુષણની આંશિક સફળતા છે. કોઈ એમ ન ધારે કે અત્યારે આ જે મોજું ચાલી રહ્યું છે, તેનો લાભ લઈ બોલનારાઓ તપ અને પરીષહ જેવી આધ્યાત્મિક કીમતી વસ્તુઓને વેડફી નાખવા માગે છે. ખાતરીથી માનજો કે અહીં એ વાત જ નથી. અહીં તો ઉદ્દેશ એટલો છે કે જે બળ આપણામાં છે, અસ્તવ્યસ્ત થયેલું છે અને જેનો અત્યારે આધ્યાત્મિક કે આધિભૌતિક ક્ષેત્રમાં કશો જ ઉપયોગ નથી થતો, તે બળને ચાલુ પ્રવૃત્તિમાં લગાડી તેની વધારે કિંમત સિદ્ધ કરવી જો એમ થાય તો દુનિયાની દૃષ્ટિમાં જૈન તપ અને પરીષહોનું કેટલું મહત્ત્વ વધે ! ફક્ત મહાત્માજીએ પોતાના આચરણ દ્વારા ઉપવાસનું કેટલું મહત્ત્વ વધારે મૂક્યું છે ! આજે એમના ઉપવાસની અનેક દૃષ્ટિએ કિંમત છે, કારણ કે એમના ઉપવાસની પાછળ ચારિત્ર અને જ્ઞાન એ બંને આત્યંતર તપ રહેલાં છે. તો પછી આપણા સમાજમાં ઉપવાસ અને બીજાં તેવાં અનેક તપો ચાલે છે તે બધાની સાથે ચારિત્ર અને જ્ઞાનનો સંયોગ કરી એનો લોકગમ્ય ઉપયોગ કરીએ તો શું એ તપની કિંમત ઘટવાની કે વધવાની ? એટલે તપનું ખરું ઉજમણું દેખાવ અને ભપકાઓમાં નથી. ગાંધીજીએ પોતાના સાત, ચૌદ કે એકવીસ ઉપવાસનું એક પાઈ ખરચીને પણ ઉજમણું નથી કર્યું અને છતાં એમના ઉપવાસોએ મોટામોટા દૂતોને આકર્ષ્યા કારણ છે? કારણ એ કે એ ઉપવાસની પાછળ લોકકલ્યાણની અને ચિત્તશાંતિની શુદ્ધ દૃષ્ટિ હતી. આજે આપણે આશા રાખી કે આપણા તપસ્વીવર્ગમાં અને પરીષહો ખમનાર, માથામાંથી વાળ ખેંચી કાઢવા જેવી સખત મુશ્કેલી સહનાર, ઉઘાડે પગે ચાલનાર અને ઉઘાડે માથે ફરનાર ત્યાગી વર્ગમાં એ શક્તિ તેમજ ભાવના ઊતરો ! - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy