SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરીષહ ૦ ૨૧૯ એનું કારણ એ છે કે આપણે તપનો ઉપયોગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાથ ન કરી. તેથી તપની હજારો પૂજાઓ સતત ભણાવવા છતાં, તપનાં ઉદ્યાપનો ભપકાબંધ ચાલુ હોવા છતાં, તેના વરઘોડાનો દમામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઊભા છીએ; નથી એકે પગલું બીજા કોઈ સમાજ કે પડોશીથી આગળ વધ્યા, ઊલટું ઘણી બાબતમાં તો આપણે ચાવી વિનાના તપમાં શક્તિ નકામી ખર્ચી બીજા કરતાં પાછા પડતા જઈએ છીએ. જે વસ્તુ ચોથા મોક્ષપુરુષાર્થની સાધક હોય તે વ્યવહારમાં અનુપયોગી હોય તેમ બનતું જ નથી. જે નિયમો આધ્યાત્મિક જીવનના પોષક હોય છે, તે જ નિયમો વ્યાવહારિક જીવનને પણ પોષે છે. તપ અને પરીષહો જો ક્લેશની શાંતિ માટે હોય તો તેની એ પણ શરત હોવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પોષણ થાય. કોઈપણ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શોધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરીષહોની જરૂરિયાત ન હોય. સિકંદર, સીઝર અને નેપોલિયનનો વિજય લો, અથવા વૈજ્ઞાનિકોની શોધ લો, અથવા બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખનાર અંગ્રેજોને લો, તો તમને દેખાશે કે એની પાછળેય એમની ઢબે તપ હતું અને પરીષહો પણ હતા. આપણે બધા તપ આચરીએ કે પરીષહો સહીએ તો તેનો કાંઈક તો ઉદ્દેશ હોવો જ જોઈએ. કાં તો તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાં તો આધિભૌતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તો આપણને મળેલ તપ અને પરીષહોનો વારસો વિકસિત થવા છતાં તે કેટલો વધારે કીમતી થાય છે એનો વિચાર તમે જ કરો ! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરીષહો મારફત આપણા સમાજે પ્રમાણમાં બીજા કરતાં આધ્યાત્મિક શાંતિ એટલે ક્લેશોની શાંતિ કેટલી વધારે સાધી છે, અથવા એ વારસા દ્વારા એણે આધિભૌતિક મહત્તા કેટલી વધારે પ્રાપ્ત કરી છે. જો આપણને એવું અભિમાન હોય કે જૈનો જેવું તપ કોઈ કરતા નથી, કરી શકતા નથી અને જૈન ભિક્ષુ જેટલા ઉગ્ર પરીષહો બીજા કોઈ સહી શકતા નથી તો આપણે એનું વધારેમાં વધારે પરિણામ બતાવવા તૈયાર રહેવું જોઈએ. દુનિયામાંથી કોઈ આવી આપણને પૂછે કે ભલા ! તમે તપ અને પરીષહોની બાબતમાં બીજા કરતાં પોતાને વધારે માનો છો, તો પછી તમારો સમાજ પણ એનું પરિણામ મેળવવામાં વધારે ચડિયાતો હોવો જોઈએ. તેથી તમે બતાવો કે તમારા સમાજે તપ અને પરીષહ દ્વારા કયું પરિણામ મેળવી બીજા સમાજો કરતાં ચડિયાતાપણું મેળવ્યું છે ? શું તમે ક્લેશશાંતિમાં બીજા કરતાં ચડો છો ? કે શું જ્ઞાનની બાબતમાં બીજા કરતાં ચડો છો ? કે શું શોધખોળ કે ચિંતનમાં બીજા કરતાં ચડો છો ? શું તમે પરાક્રમી શીખ સૈનિકો જેવી સહનશીલતામાં બીજા કરતાં ચડો છો ? આ પ્રશ્નોનો ઉત્તર આપણે હકારમાં પ્રામાણિકપણે ન આપી શકીએ (અને અત્યારનું સામાજિક પરિણામ એવો ઉત્તર આપવા ના પાડે છે), તો પછી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy