SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ - જૈન ધર્મ અને દર્શન ધ્વંસ કર્યો છે, અને હજુ આ રાજતંત્રને ધાર્મિક સલામતીવાળું માની વધારે અને વધારે એ નાશ કર્યે જ જઈએ છીએ. આ બધા ઉપરથી જે ફલિત થાય છે તે એ છે કે અત્યારે જ આપણાં તીર્થો વધારે જોખમમાં છે. આ તો બરબાદીની વાત થઈ, પણ આ તીર્થસંસ્થા મારફત આપણે કેટલું વધારે ઉપયોગી કામ કરી શકીએ તેમ છે એ પણ જાણવું જોઈએ. ભક્તિ અને આર્થિક ઉદારતા ઉપર જ તીર્થસંસ્થા નભે છે. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજાં તેવાં જ્ઞાનોની અનિવાર્ય જરૂર છે. કોઈપણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશિલાના વિદ્યાલયની સુગંધ નથી અનુભવી. અત્યારે તો બીજે કોઈપણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઈથી કેટલાંક તીર્થસ્થાનોમાં વિદ્યાલયો સારી રીતે નભી શકે. કેટલાંય આબુ જેવાં પ્રકૃતિરમણીય જૈન તીર્થો છે કે જ્યાં અંગ્રેજો અને બીજા લોકો વિદ્યા મેળવવા સાથે ત્યાંના સુંદર વાતાવરણનો ફાયદો ઉઠાવી રહ્યા છે; ત્યારે જૈનોને એ વાત સૂઝતી જ નથી. તેઓ ત્યાં જાય છે ત્યારે ખુશ થાય છે, જગ્યાની, એકાંતની, હવાપાણીની વાહવાહ કરે છે, બીજાનાં વિદ્યાધામો જોઈ રાજી થાય છે, પણ પોતાને માટે કાંઈ કરવાનું એમને સૂઝતું જ નથી. જૈનો કાશીમાં યાત્રાર્થે જાય છે, પણ કોઈને ત્યાંની વિદ્યાગોષ્ઠીની ખબર નથી, વિદ્વાનોની જાણ નથી, એ જાણવાની તેમને ઇચ્છા જ થતી નથી. ત્યાંનાં વિદ્યાધામો કેવાં અને કેટલાં છે એ જાણવાનું એમને મન જ નથી, કારણ કે એમણે પોતાનાં કોઈપણ તીર્થસ્થાનમાં વિદ્યા અને વિદ્વાનો હોવાની સુગંધ લીધી જ નથી. એમને કલ્પના એક જ છે અને તે એ કે તીર્થસ્થાનમાં મંદિરો અને મૂર્તિઓ સિવાય બીજું શું હોય ? બીજું હોવાની શી જરૂર છે ? પરંતુ સમાજની વિદ્યાની જરૂરિયાત આ તીર્થસંસ્થારક્ષક ભક્તિ અને ઉદારતા જેવાં બળો દ્વારા સધાવી જ જોઈએ. જો વિશિષ્ટ વિશિષ્ટ તીર્થોમાં ખાસાં વિદ્યાલયો ચાલતાં હોય, તેમાં બંને સંપ્રદાયના હજારો બાળકો ભણતાં હોય, વિદ્યા અને દેશની સ્વતંત્રતાનો બ્રહ્મ-આદર્શ તેમની સામે હોય તો સમાજને આ તકરાર પાછળ બળ ખર્ચવાની બહુ જ થોડી ફુરસદ રહે. જ્યાં સુધી સુંદર અને ઉપયોગી આદર્શ સામે નથી હોતો ત્યાં સુધી માણસ પોતાનું બળ આડે રસ્તે વેડફે છે. આજનો દેશધર્મ આપણને બે વાત શીખવે છે : એક તો આ રાજતંત્રના માયાવી રૂપના ભોગ બની પોતાને જ હાથે પોતાનાં મૂર્તિ અને મંદિરોનો નાશ ન કરો; અને બીજી વાત એ છે કે તમારામાં ભક્તિ અને ઉદારતા હોય તો તીર્થોને સાચવી તે મારફત તમે વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો, વધારે શીખો. તીર્થની લડાઈમાં જીતનાર પક્ષ માની લે છે કે અમે તીર્થ સાચવ્યું, ધર્મ બજાવ્યો. બીજી વાર બીજો પક્ષ તેમ માને છે. પણ બંને પક્ષ એ ભૂલી જાય છે કે તેઓ શરીરનાં હાથપગ જેવાં અંગોને જ સાચવવા પ્રાણ પાથરે છે અને તેમાંથી ઊડી જતા આત્માને બચાવવા કોઈ જરા પણ જહેમત નથી ઉઠાવતું. એટલું જ નહિ, પણ તેમનો આ હાથપગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy