SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યચોરીની મીમાંસા - ૧૯૩ એ કે સત્ય તેમજ સરળતા ખાતર અસત્ય અને કૂડકપટનું સેવન, અથવા એમ કહો કે અહિંસા ખાતર હિંસાનો પ્રચાર અને પુષ્ટિ થવા પામે. તેથી જ્યાં આંટીઘૂંટીની બાબત આવે ત્યાં ધોરી માર્ગ પ્રમાણે જ વર્તવાનો સુવર્ણ નિયમ શાસ્ત્રસંમત છે. જૈનશાસ્ત્રનો મુખ્ય પાયો તો અનેકાંતદષ્ટિ છે. ઉપર જે અસંમત દીક્ષાના અપવાદો ગ્રન્થોમાં દાખલ થયા છે તેમાં પણ આચાર્યોએ અનેકાંતદષ્ટિ રાખેલી છે. સોળ વર્ષની ઉંમર સુધીનાને અસંમત દીક્ષા આપવામાં શિષ્યનિષ્ફટિકા કહેલ છે, એટલે કે, તે કૃત્યને ત્રીજા મહાવ્રતના ભંગ તરીકે ગણી એ દોષ માટે મૂળ આદિ પ્રાયશ્ચિતોનું વિધાન કરેલ છે. તેમાં પણ એકાંત નથી. જો કોઈ સાતિશય જ્ઞાની અતિ ઉજ્વળ ભાવિ જુએ, અને દીક્ષા લેનાર દ્વારા તેનું અને શાસનનું પરમ હિત જુએ, વળી તે એવો અમોઘહસ્ત હોય કે તેના હાથથી દીક્ષિત દીક્ષાભ્રષ્ટ થવાનો જ ન હોય તો તેવો જ્ઞાની સગીર ઉંમરના બાળક સુધ્ધાંને એ સંમત દીક્ષા આપે – આવું પણ કથન કરે છે. અત્યારે આ આપવાદિક કથનનો ઉપયોગ કરી, જેના દ્વારા ધર્મનો ચોક્કસ જ પ્રભાવ વધે અને જે કદી દીક્ષાથી ચલિત થવાના જ નથી એવા નાનાં નાનાં બાળક-બાળિકાઓને ખૂણેખાંચરેથી જ્ઞાન દ્વારા શોધી કાઢી તેમને સંમત દીક્ષા આપી શાસનપ્રભાવના કરવા જેવા જ્ઞાનીઓ જો આજે હોય તો તેમણે શા માટે ચૂપ બેસી રહેવું જોઈએ ? તેમને તો બાળકોને નસાડવાનો, ભગાડવાનો અને ગમે તેવો દાવપેચ ખેલવાનો શાસ્ત્રમાં પરવાનો છે. જો એમ કહેવામાં આવે કે ભલે શાસ્ત્રમાં સગીર ઉમરનાને સંમત દીક્ષા આપવાની છૂટ હોય, ભલે પ્રપંચબાજી ખેલવાની બારીઓ હોય, છતાં આજે એ છૂટો અને એ બારીઓનો ઉપયોગ કરનાર વિશિષ્ટ જ્ઞાનીઓ ક્યાં છે, તો એ પ્રશ્ન પણ થયા વિના નથી રહેતો કે સોળ વર્ષથી મોટી ઉંમરનાને અસંમત દીક્ષા આપનારના અપવાદકથનને સમજનાર વિશિષ્ટ જ્ઞાની પણ ક્યાં છે? જેઓની સત્યવાદિતા વિશે લોકોને વિશ્વાસ ન હોય, જેઓમાં શાન્તિ અને સરળતાનો છાંટો ભાગ્યે જ હોય, જેઓ બ્રહ્મચર્યભંગના સેવાયેલ દોષો જાહેરપણે કે ખાનગી રીતે કબૂલી પોતાની નિખાલસતા પુરવાર કરવા જેટલા નિર્ભય ન હોય અને જેઓ એક અથવા બીજી રીતે પૈસાનો વહીવટ તેમજ સંગ્રહ કરવા-કરાવવામાં મશગૂલ હોય તેવાઓ પુસ્તકોના ગમે તેટલા ઢગલા ચૂંથ્યા છતાં તેનો મર્મ અનેકાંત દષ્ટિએ સમજી શકે અથવા તો સમજ્યા પ્રમાણે અમલમાં મૂકી શકે એવો કદી સંભવ છે ખરો ? જો એવો સંભવ હોત તો દીક્ષા જેવી પવિત્ર વસ્તુ માટે શાસ્ત્રને નામે જે કિન્નાખોરી ચાલી રહી છે તે ન જ હોત. બધાં શાસ્ત્રીય પ્રમાણો અને અત્યારની પરિસ્થિતિનો વિચાર કરતાં દીક્ષા પરત્વે એક જ વસ્તુ ફલિત થાય છે અને તે એ કે જો બધી બાજુનો વિચાર કરતાં દીક્ષા લેવી અને આપવી યોગ્ય હોય તો તે સંમતિ સિવાય ન જ લેવી કે દેવી જોઈએ, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy