SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ - જૈન ધર્મ અને દર્શન પગલામાં પરિણમ્યો છે. એ ઝેરે તેથીયે વારે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. આ જ કારણથી આ વિષય આજે ચર્ચવાનું દુરસ્ત ધાર્યું છે. આ ચર્ચામાં કોઈપણ એક પક્ષનું અનુસરણ કરવાનો ઇરાદો નથી. જે પ્રમાણો બંને પક્ષકારો શાસ્ત્રમાંથી રજૂ કરે છે અને જે અમારી જાણમાં છે તેનો તદ્દન મધ્યસ્થ દૃષ્ટિએ વિચાર કરવો એ જ આ ચર્ચાનો ઉદ્દેશ છે. અત્યારે પ્રસ્તુત બાબત પરત્વે જૈન સાધુસમાજમાં મુખ્ય ત્રણ વર્ગ છે : એક, સ્પષ્ટપણે શિષ્યહરણની હિમાયત કરનારો; બીજો, તેનો તદ્દન વિરોધ કરનારો; અને ત્રીજો, દેખીતી રીતે તટસ્થ છતાં શિષ્યહરણના પક્ષનો લાભ લેનારો. કોઈપણ વિષ» ઉપ૨ વિચા૨ ક૨વામાં અને નિર્ણય બાંધવામાં સાધુવર્ગ ઉપર આધાર ન રાખતાં, પોતાની જ બુદ્ધિ ઉપર આધાર રાખનાર ગૃહસ્થવર્ગ જૈન સમાજમાં બહુ જ નાનો છે, અને તે જેવડો છે તે આખોય વર્ગ શિષ્યહરણના વિરોધી પક્ષનું વલણ ધરાવે છે. તેથી ગૃહસ્થવર્ગ પણ ઉપર કહેલા સાધુવર્ગના ત્રણ ભાગમાં જ વહેંચાઈ જાય છે. અત્યારે ઉ૫૨ ઉ૫૨થી જોતાં શિષ્યહરણના હિમાયતી અને વિરોધી એ બે પક્ષ વચ્ચે જ અથડામણી દેખાય છે, છતાં વાસ્તવિક રીતે આખોય જૈનસમાજ આ ઝેરીલી અથડામણીનો ભોગ થઈ પડ્યો છે. શિષ્યહરણ યોગ્ય છે કે નહિ ?” એનો ખુલાસો સ્વતંત્ર બુદ્ધિથી અને શાસ્ત્રના આધારોથી એમ બંને રીતે મેળવી શકાય તેમ છે. જેઓને વિચારવાની અને સાચુંખોટું તપાસવાની સ્વતંત્ર બુદ્ધિ મળી છે તેમને તો આ વિષય પરત્વે કોઈપણ નિર્ણય બાંધવા માટે કોઈનો આધાર લેવાની જરૂર નથી; અને બહુ ઊંડા પાણીમાં ઊતરવું પડે તેમ નથી. તેઓ તો તદ્દન સહેલાઈથી કોઈપણ નિર્ણય બાંધી શકે એટલી આ બાબત સહેલી, બુદ્ધિગમ્ય, અને દીવા જેવી ખુલ્લી છે. છતાં આ સ્થળે તો આ પ્રશ્નનો ખુલાસો શાસ્ત્રીય દૃષ્ટિએ જ કરવાનો હોઈ બુદ્ધિનો ઉપયોગ મુખ્યતઃ શાસ્ત્રનાં પ્રમાણોને આધારે જ કરવાનો છે. જૈન સાધુની આખી જીવનચર્યાં અહિંસા આદિ પાંચ મહાવ્રતોને આધારે જ હોવાનું શાસ્ત્રમાં કથન છે અને તે દરેક પક્ષ સ્વીકારે છે. એ પાંચ મહવતો જૈનપણાના પાયા ઉપર યોજાયેલાં છે. જૈનપણું એટલે લોભ, લાલચ, ભય આદિ વિકારો પરનો વિજ્ય અથવા એ વિજય માટેનો પ્રયત્ન, હિંસા હોય કે અસત્ય, ચોરી હોય કે પરિગ્રહ, એ બધા દોષો જૈનત્વના વિરોધી છે; તેથી જૈનત્વને ધારણ કરનાર કે તેની સાચી ઉમેદવારી કરનાર સાધુ એ દોષોનો હંમેશને માટે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે, જે પ્રતિજ્ઞા પાંચ મહાવ્રતના નામથી ઓળખાય છે. એમાં ત્રીજું મહાવત અદત્તાદાનવિરમણ આવે છે. એનો સ્થૂલ શબ્દાર્થ એ છે કે ‘કોઈપણ વસ્તુ તેના માલિકની રજા સિવાય લેવાનો સદંતર ત્યાગ.’ જેમ દરેક વ્રત કે નિયમની પાછળ એના શબ્દાર્થ ઉપરાંત એનો વિશિષ્ટ ભાવ હોય છે તેમ આ ત્રીજા મહાવ્રતની બાબતમાં પણ છે. માલિકની પરવાનગી સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy