SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? • ૧૭૯ સાધુઓના શિક્ષણનો બીજો વિષય ધર્મ અને તત્ત્વજ્ઞાન છે. તેઓ ધર્મના મથાળા નીચે જે જે શીખે છે તે બધામાં તેમની એક દષ્ટિ આદિથી અંત સુધી મક્કમ રીતે એવી પોષાય છે કે તે શીખવાતો ધર્મ પૂર્ણ છે, તેમાં કાંઈ વધારવા-ઘટાડવા જેવું છે જ નહિ અને એ ધર્મની શ્રેષ્ઠતા વિશે તેમના મનમાં એવા સંસ્કારો પાડવામાં આવે છે કે જ્યાં લગી તેઓ બીજા ધર્મની ત્રુટિઓ ન જુએ અને ઇતર ધર્મોની ખામીઓ ન બતાવે ત્યાં લગી તેમને પોતાના ધર્મની શ્રેષ્ઠતાની ખાતરી કરાવવાનો બીજો માર્ગ દેખાતો જ નથી. તેમનો ઈતિહાસ એટલે જૈન સાહિત્યમાં દાખલ થયેલ કોઈ પણ ઘટના - પછી તે કાલ્પનિક વાત હોય, રૂપક હોય, અગર પરાપૂર્વથી ચાલ્યાં આવતાં કથાનકો હોય – એ બધું તેમને મન ઇતિહાસ અને સાચો ઇતિહાસ છે. તેમને શીખવાતી ભૂગોળ દશ્ય વિશ્વની પેલી પારથી શરૂ થાય છે. એમાં પ્રત્યક્ષ જોઈ શકાય, સ્વયં જઈ શકાય એવાં સ્થાનો કરતાં મોટો ભાગ ક્યારેય પણ આ જિંદગીમાં જઈ ને જોઈ ન શકાય એવાં સ્થાનોનો આવે છે. એમની ભૂગોળમાં દેવાંગનાઓ છે, ઈન્દ્રાણીઓ છે અને પરમધાર્મિક નરકપાળો પણ છે. જે નદીઓ, જે સમુદ્રો અને જે પર્વતોના પાઠ તેઓને શીખવાના હોય છે તે વિશે તેમની પાકી ખાતરી હોય છે કે જોકે અત્યારે તે અગમ્ય છે, છતાં એ છે તો વર્ણવ્યાં તેવાં જ. તત્ત્વજ્ઞાન બે હજાર વર્ષ પહેલાં જે ઘડાયું તે જ અવિચ્છિન્ન રીતે અને પરિવર્તન સિવાય ચાલ્યું આવે છે એવા વિશ્વાસ સાથે જ તે શીખવવામાં આવે છે. છેલ્લાં બે હજાર વર્ષમાં આજુબાજુનાં બળોએ જૈન તત્ત્વજ્ઞાનના પોષણ વાસ્તે જે દલીલો, જે શાસ્ત્રાર્થો જેન સાહિત્યમાં દાખલ કર્યો છે તેનું ઋણ. સ્વીકારવાની વાત તો બાજુએ રહી, પણ ઊલટું એ અભ્યાસી સાધુઓ એવા સંસ્કારથી પોષાય છે કે અન્યત્ર જે કહ્યું છે તે તો માત્ર જૈન સાહિત્યસમુદ્રનાં બિંદુઓ છે. નવમા અને દશમા સૈકા સુધીમાં બૌદ્ધ વિદ્વાનોએ જે તાત્ત્વિક ચર્ચાઓ કરી છે અને લગભગ તે જ સૈકાઓ સુધીમાં બ્રાહ્મણ વિદ્વાનોએ જે તાત્ત્વિક ચર્ચાઓ કરી છે તે જ શ્વેતાંબર કે દિગંબરના તત્ત્વસાહિત્યમાં અક્ષરશઃ છે, પણ તે પછીની શતાબ્દીઓમાં બ્રાહ્મણ વિદ્વાનોએ જે તત્ત્વજ્ઞાન ખેડ્યું છે અને જેનો અભ્યાસ સનાતન બ્રાહ્મણ પંડિતો આજ સુધી કરતા આવ્યા છે અને જૈન સાધુઓને પણ ભણાવતા આવ્યા છે, તે તત્ત્વજ્ઞાનના વિકાસથી, એક યશોવિજયજીના અપવાદ સિવાય, બધા જ જૈન આચાર્યોનું સાહિત્ય વંચિત હોવા છતાં જેને તત્ત્વજ્ઞાનના અભ્યાસી સાધુઓ એમ માનતા હોય છે કે તેઓ જે તત્ત્વજ્ઞાન શીખે છે તેમાં ભારતીય વિકસિત તત્ત્વજ્ઞાનનો કોઈપણ અંશ બાકી રહી જતો નથી! ભારતીય દાર્શનિક સંસ્કૃતિના પ્રાણભૂત પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા - બંને દર્શનોના પ્રામાણિક થોડા પણ અભ્યાસ સિવાય જૈન સાધુ પોતાના તત્ત્વજ્ઞાનને પૂરેપૂરું માનતો હોય છે. ભાષા, વ્યાકરણ, કાવ્ય, કોષ એ પણ એમના શીખવાના વિષયો છે, પણ તેમાં કોઈ નવા યુગનું તત્ત્વ દાખલ જ નથી થયું. ટૂંકમાં, જૈન સાધુઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy