SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ • જૈન ધર્મ અને દર્શન મતભેદ કે વિરોધ જેવું રહેતું જ નહિ. આ જ સબબને લીધે આપણો જૂનો ઇતિહાસ, ગૃહસ્થ અને ત્યાગીના કેળવણી કે સંસ્કાર વિષયક આંતરવિગ્રહથી નથી રંગાયો. એ કોરું પાનું ચીતરવાનું કામ યુરોપના શિક્ષણે હવે શરૂ કર્યું છે. આંતરવિગ્રહ સાધુઓ અને નવશિક્ષણ પામેલા તેમજ પામતા વર્ગના માનસ વચ્ચે આટલો બધો આંતરવિગ્રહકારી ભેદ કેમ છે, એ ભેદ શેમાંથી જન્મ્યો છે, એ બીના સર્વવિદિત છતાં જાણવી બહુ જ જરૂરી તેમજ મનોરંજક પણ છે. માનસ એ શિક્ષણથી જ અને શિક્ષણ પ્રમાણે ઘડાય છે. અન્ન તેવું મન એ સિદ્ધાન્ત કરતાં વધારે વ્યાપક અને સૂક્ષ્મ સિદ્ધાંત તો એ છે કે શિક્ષણ તેવું મન. વીસમી શતાબ્દીમાં શિક્ષણ વડે, માત્ર ઘટતા શિક્ષણ વડે, હજારો વર્ષ પહેલાંનું માનસ ઘડી શકાય. હજારો વર્ષ થયાં ચાલ્યા આવતા જંગલી માનસને માત્ર શિક્ષણ વડે જ થોડા વખતમાં આધુનિક જેવું ઘડી શકાય. સાધુવર્ગ શિક્ષણ મેળવે છે તે એક પ્રકારનું છે અને અત્યારનો તેમના જ પટ્ટધર ભક્ત શ્રાવકોનો સંતતિવર્ગ જે શિક્ષણ મેળવે છે તે તદ્દન જુદા પ્રકારનું છે. આ એકબીજાથી તદ્દન સામે જતા શિક્ષણના બે પ્રકારોએ જ જૈન સમાજમાં પ્રથમ નહિ એવાં બે માનસો ઘડ્યાં છે, અને તે જ એકબીજા ઉપર સરસાઈ મેળવવા - સમાજના અખાડામાં કુસ્તી કરવા - આકર્ષક રીતે ઊતરી પડ્યા છે. આપણે એ પરસ્પર વિરોધી બંને માનસોને ઘડનાર, શિક્ષણ, તેના વિષયો અને તેની પ્રણાલિકા વિશે કાંઈક જાણીએ તો આપણને ખાતરી થઈ જવાની કે અત્યારે જે માનસિક ભૂકંપ આવ્યો છે તે સ્વાભાવિક અને અનિવાર્ય છે. સાધુઓ શીખે છે, આખી જિંદગી ભણનાર પણ સાધુઓ પડ્યા છે. તેમના શિક્ષકો કાં તો તેમના જેવું જ માનસ ધરાવનારા સાધુઓ હોય છે અને કાં તો મોટે ભાગે પંડિતો હોય છે કે જે પંડિતો વીસમી સદીમાં જન્મવા અને જીવવા છતાં બારમી કે સોળમી સદીથી ભાગ્યે જ આગળ વધેલા હોય છે. શિક્ષણના વિષયો ને તેની પ્રણાલિકા સાધુઓના શિક્ષણનો મુખ્ય વિષય – જે સૌથી પહેલાં તેમને શીખવવામાં આવે છે તે – ક્રિયાકાંડને લગતાં સૂત્રોનો છે. આ સૂત્રો શીખતી અને શીખવતી વખતે એક જ દષ્ટિ હોય છે કે તે ભગવાન મહાવીરનાં રચેલાં છે, અગર તો પાછળનાં છતાં એવાં ધ્રુવ છે કે જેમાં ઉત્પાદન અને વ્યયનો જૈન સિદ્ધાંત પણ ગૌણ થઈ જાય છે. વળી એ ક્રિયાકાંડી શિક્ષણ ઉપર એવી સર્વશ્રેષ્ઠતાની છાપ શ્રદ્ધાના હથોડા મારીમારી પાડવામાં આવે છે કે શીખનાર, જૈન સિવાયનાં બીજાં કોઈપણ ક્રિયાકાંડોને તુચ્છ અને ભ્રામક માનતા થઈ જાય છે, એટલું જ નહિ, પણ તે પોતાના નાનકડાશા ગચ્છ સિવાયના બીજા સહોદર પડોશી અને સદાસાથી ગચ્છોનાં વિધિવિધાનોને પણ અશાસ્ત્રીય લેખતો થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy