SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ • જૈન ધર્મ અને દર્શન ઉપરના ત્રણ દોષો ઉપરાંત એક મોટો દોષ શિક્ષણની શૈલીનો છે. આજે મોટે ભાગે અર્થહીન પાઠો ગોખાવવામાં આવે છે. એમાં શીખનારને કદાચ ટીખળ અને મજા પડે છે, કારણ કે તે ગોખતાં રમતા જાય છે; પણ તેની વિચાર અને કલ્પનાશક્તિ માત્ર ગોખણપટ્ટીના ભારને લીધે બુઠ્ઠી થઈ જાય છે. અર્થ ન સમજાવાથી જ્ઞાનનો રસ આવતો નથી અને ગોખેલા શબ્દો કાળ જ્યાં ભુલાઈ જાય છે. મોટી ઉંમરે જ્યારે એવા વિદ્યાર્થીઓ વિચાર અને કલ્પનાની કિંમત આંકતા થાય છે અને વ્યવહારમાં તેની અગત્યતા જુએ છે ત્યારે ઔરંગઝેબની પેઠે તેઓ પોતાના ધર્મશિક્ષકોને ફાંસી માફ કરી શાપ તો આપે જ છે. આ ઉપરાંત કેટલીક, મહેસાણામાં છે તેવી, ધર્મજીવી પાઠશાળાઓમાં તો વિદ્યાર્થીઓને, જેમનું જ્ઞાન અને વિચાર જાણવા માટે આખું ભારત તલસે છે તે ગાંધીજીનાં પત્રો અને પુસ્તકો વાંચતાં પણ રોકવામાં આવે છે; એટલા કારણે કે એ જેન ધાર્મિક પુસ્તક નથી. હું કેટલાંય ધર્મપુત્ર મનાતાં અને વિદ્વાન ગણાતાં જૈન સાધુ તેમજ સાધ્વીઓને જાણું છું કે જેઓને મન અમુક આચાર્યોએ અમુક ભાષામાં લખ્યું હોય તે સિવાયનું કશું પણ વાંચવા અને સાંભળવા તરફ માત્ર ઉદાસીનતા જ નહિ, પણ દ્વેષ હોય છે. આ જોઈ ઘણા બોલી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણે સત્યાનાશ વાળ્યું, એની શી જરૂર છે? અલબત્ત, ધાર્મિક શિક્ષણ સામે વાંધો લેનારનો ઉપરનો અનુભવ ખોટો છે એમ તો ન જ કહી શકાય, છતાં જો વિચાર અને અનુભવે એમ લાગે કે ધાર્મિક શિક્ષણમાં સમાતી જૂની માન્યતાઓ, જૂની પરંપરાઓ અને એ પ્રાચીન અનુભવો અમુક હદ સુધી અને અમુક દૃષ્ટિએ જાણવા જેવાં છે અને ઉપયોગી પણ છે, તો પછી બીજા આગંતુક દોષો, જે સમજ અને પ્રયત્નથી ટાળી શકાય તેમ છે, તેને કારણે એ બધું ફેંકી તો ન દેવાય. ઓછા કે વત્તા કાંકરા હોય અગર ધૂળ હોય તેટલા માત્રથી જ પુષ્ટિકારક અને અગત્યનું અન્ન-ધાન્ય ફેંકી તો ન જ દેવાય. જેમ સૂપડું અને આંખ અનાજ સાફ કરવા માટે છે તેમ, બુદ્ધિ અને ધીરજ ગુણ-દોષ પારખવા અને દોષો નિવારવા માટે છે. ધાર્મિક શિક્ષણના વિરોધી પક્ષની દલીલો તો એટલું જ સાબિત કરે છે કે જે ખામીઓને કારણે આગળ જતાં ભણેલાઓને ધાર્મિક શિક્ષણ તરફ અરચિ થાય છે તે ખામીઓ દૂર કરવી અને એ શિક્ષણમાં પ્રાણ લાવવો. ત્યારે અત્યારે ધાર્મિક શિક્ષણ કયા પ્રકારનું હોવું જોઈએ કે જેથી તે રસપ્રદ થાય, આગળ જતાં તે લેનારને પસ્તાવો ન થાય એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ધાર્મિક શિક્ષણ કઈ રીતે અને કઈ દૃષ્ટિએ આપવું તેનું ટૂંક સૂચન અહીં કરવામાં આવે છે. વિશેષ સુધારાને અને પરિવર્તનને પૂર્ણ અવકાશ છે. શિક્ષણમાં પહેલી વાત દષ્ટિની ઉધરતાની છે. એટલે જે વિષય પરત્વે જે વિચાર ધાર્મિક શિક્ષણમાં શીખવવામાં આવે તે વિષય પરત્વે તે વિચાર છેવટનો જ છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy