SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં દિક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ ૦ ૧૪૧ જુદો છે. એમાં તમે ચડો એટલે બંને પક્ષકારોની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કોથળી આડે દબાઈ જાય છે. એટલે જે વધારે નાણાં ખર્ચે તે જીત ખરીદી શકે. રાજતંત્રનો આ વ્યક્તિ સ્વતંત્રતા વિષયક ગુણ ભલે બુદ્ધિમાનો અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક હો, પણ જૈન સમાજ જેવા બુદ્ધ અને ગુલામ સમાજ માટે તો એ ગુણ નાશકારક જ નીવડતો જાય છે. અત્યારે બે પક્ષી છે. બંને દીક્ષામાં તો માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીક્ષાના નિયમો વિશે બંનેમાં કોઈ ખાસ મતભેદ નથી. બંનેનો મતભેદ દીક્ષાની શરૂઆત પરત્વે છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હોય તે પણ જીવનપર્વતની જેમ દિક્ષા લઈ શકે, અને એવાં બાળકો ઉમેદવાર મળી આવે તો ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યોગ્ય છે. તેમજ તે કહે છે કે સોળ કે અઢાર વર્ષે પહોંચેલો તરણ કોઈની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિપત્નીને પૂછ્યા સિવાય, તેમની હા સિવાય પણ દીક્ષા લઈ શકે અને તેવા તરુણો મળી આવે તો દીક્ષા આપવી જ જોઈએ. ઘણીવાર તો આ પક્ષ બાળ ઉમેદવારો ન હોય તો તેવા ઉમેદવારોને કૃત્રિમ રીતે ઊભા કરી તેમને શિરે ધર્મમુકુટ પહેરાવવાનો પ્રયત્ન કરે છે. બીજો પક્ષ કહે છે કે બાળકને તો દીક્ષા ન જ આપવી જોઈએ. અને તરુણને દીક્ષા આપવી હોય તો એના વાલી-વારસદારો અને ખાસ લાગતા વળગતા તેમજ સ્થાનિક સંઘની પરવાનગી સિવાય તે આપવી યોગ્ય નથી. બંને પક્ષકારોની પોતપોતાની દલીલો છે, અને ઘણીવાર એ મોહક પણ કેટલાકને લાગે છે. પહેલો પક્ષ, બાળ અને તરુણવયમાં દીક્ષિત થઈ સમાજમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલ, અને કાંઈક સારું કામ કરી નામના કાઢી ગયેલ હોય એવી કેટલીક જૂની સાધુવ્યક્તિઓનાં નામો પોતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે. બીજો પક્ષ કાચી ઉંમરે અથવા અસંમતિથી અપાયેલ દીક્ષાનાં માઠાં પરિણામો પોતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે, અને તદ્દન ભ્રષ્ટ થયેલ કે શિથિલ થયેલ વ્યક્તિઓનાં નામો પણ કોઈક વાર સૂચવે છે. પણ એ બંનેમાંથી એકે પક્ષ જોઈએ તેવી સાચી અને પૂરી યાદી તૈયાર કરી લોકો સામે નથી મૂકતો. બંને પક્ષકારો ભલે પોતપોતાના પક્ષની પુષ્ટિ થાય એટલું જ આગળ ધરે છતાં, જો એ બંને સાચા અને ધૈર્યશાળી હોય તો વસ્તુસ્થિતિ તો તેમણે જાણવી જ અને રજૂ કરવી જ જોઈએ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે જાણી અને રજૂ કરી શકાય: એક યાદી દરેક સાધુએ રાખવી જોઈએ, જેમાં તેમની પાસે દીક્ષા લેનારની ઉંમર, નામઠામ અને દિક્ષા લેવાની તારીખ વગેરે બધું નોંધાય, અને બીજી તરફ પોતાની પાસે દીક્ષા લેનારમાંથી કોઈ છટકી જાય તો તે પણ પ્રામાણિકપણે કારણપૂર્વક નોંધવામાં આવે. બધા જ સાધુઓ પોતાની આવી યાદીઓ આણંદજી કલ્યાણજી જેવી પેઢીને એક પત્રમાં મોકલી આપે. આ યાદીઓ ઉપરથી દર વર્ષે, દર પાંચ વર્ષે અને દર દશ વર્ષે એક પરિણામ તારવી શકાશે કે એકંદર દીક્ષા લેનાર કેટલા અને છોડનાર કેટલા. વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy