SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપર્વ કે જ્ઞાનપર્વ • ૧૨૩ એક વાર એક વિદ્વાન મિત્રે મને કહેલું કે જ્યારે બારસા વાંચવા લાગ્યા ત્યારે જરાય રસ ન આવવાથી મેં ધાર્મિક પુસ્તક લઈ ત્યાં જ બેસી વાંચી કાઢ્યું અને તેમાં ઘણું જાણવાનું મળ્યું. દરેક ભાઈબહેન, જે નિયમિત કલ્પસૂત્ર સાંભળતાં આવે છે તે, ભગવાનના જીવનનો કોઈપણ પ્રસંગ પૂછ્યાથી તરત વર્ણવી શકે. જો તમે તે બાબત તેમને કાંઈ ઊંડાણથી પૂછો તો કાં તો એ ચિડાઈ જઈ એમ કહેશે કે એમાં પ્રશ્ન શો અને શંકા શી? અને કોઈ ધીરજવાન હશે તો ન ચિડાતાં એટલું જ કહેશે કે ત્યારે તમે જ કહો. આ વસ્તુસ્થિતિ છે. ભગવાનના અસાધારણ તપસ્વી અને જ્ઞાની તરીકેના જીવનના કોયડા એ અસાધારણ જ હોય. આપણે એને સમજવા ધાર્મિક થવું ઘટે અને વિચારક તો થવું ઘટે જ. પર્યુષણની ચાલુ પ્રથાનો ૩૦ વર્ષનો અનુભવ મને કહે છે કે હવે વિચારવૃદ્ધિ થાય અને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુએ ઉદારતાપૂર્વક ધર્મ અને સમાજના એક એક અંગ ઉપર વિચાર કરવામાં આવે તો જ તરુણ સમાજ અને ભાવી પેઢીને સંતોષ આપી શકાય અને બહારની દુનિયામાં જાગતિક દૃષ્ટિએ ઊભી શકાય. આ કલ્પના તો કેટલાંયે વર્ષ અગાઉ આવેલી. એક વાર ભાવનગરમાં સન્મિત્ર કપૂરવિજયજી સમક્ષ વ્યાખ્યાન વખતે આ કલ્પના મૂકવામાં પણ આવેલી, પણ કેટલાંક કારણસર તે વખતે તેનો અમલ થઈ શક્યો નહિ. બે વર્ષ અગાઉ એક મિત્રને ત્યાં આ કલ્પનાને મૂર્તરૂપ આપવામાં આવ્યું હતું. આ વખતે અનેક મિત્રો સાથે વિચાર કરતાં બધાને એ કલ્પના પસંદ આવી. તે કલ્પના આ હતી: (૧) પ્રતિક્રમણ, પૂજન આદિ ચાલુ ક્રિયાકાંડમાં રસ લેનાર તેમાં ભાગ લેવા ઉપરાંત પ્રવચનનો લાભ લઈ શકે એવી રીતે સમય ગોઠવવો. (૨) પ્રવચનો એક વાર તો ભગવાનના જીવનને અંગે જ થાય અને બીજી વાર ભિન્ન ભિન્ન વિષયો ઉપર થાય. એ વિષયો જીવનસ્પર્શી અને તાત્ત્વિક હોય. (૩) પ્રવચન માટે જાહેર વિચારકો અને વક્તાઓને આમંત્રણ આપવું અને તેમને વિચારો છૂટથી મૂકવાની તક આપવી. (જે બની શકે ત્યાં સુધી એ પ્રવચનો લખેલાં હોય અને પ્રવચનને અંતે પ્રશ્નોત્તરી રાખવી. અનુકૂળ કે પ્રતિકૂળ પક્ષકારે છૂટથી શાંતિ અને વિચારપૂર્વક ચર્ચા કરવી. આ કલ્પના પ્રમાણે આ વર્ષે પ્રવચનનો ક્રમ ગોઠવી ધર્મ સાથે જ્ઞાનનું પર્વ ઊજવવાની મિત્રોએ વ્યવસ્થા કરી. તે પ્રમાણે સવારે પ્રવચનો નવ વાગે હમેશાં થતાં અને બીજી વાર બપોરે કે રાતે વક્તાની અનુકૂળતા પ્રમાણે થતાં. આ વર્ષે ખાસ જાહેરાત કરવામાં આવી ન હતી. ગ્યા પણ શહેરથી દૂર અને ખાનગી જ હતી, છતાં શ્રોતવર્ગ પ્રમાણમાં સારો એકત્ર થતો. બધા લગભગ જિજ્ઞાસુ આવતા વિદ્વાનો ખાસ ભાગ લેતા. જૈનેતરો પણ, જેને માલુમ પડે તે, આવતા. વિષયો પણ વ્યાપક રખાયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy