SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ • ૧૧૩ એક બાજુ વારસામાં મળતા ઉપરની છ બાબતોના સંસ્કારો અને બીજી બાજુ દુન્યવી ખટપટની પડેલી કુટેવો એ બે વચ્ચે અથડામણ ઊભી થાય છે અને પરિણામે આપણે પજુસણના કલ્યાણસાધક દિવસોમાં પણ ઇચ્છીએ તેવો અને કરી શકીએ તેટલો ઉપરના સુસંસ્કારોનો ઉપયોગ કરી નથી શકતા; અને ધાર્મિક બાબતો સાથે આપણા હંમેશના સંકુચિત અને તકરારી કુસંસ્કારોને સેળભેળ કરી દઈ દરેક બાબતમાં ખટપટ, પક્ષાપક્ષી, તાણખેંચ, હુંસાતુંસી, અને વાંધાવચકાના પ્રસંગો ઊભા કરીએ છીએ અને એકંદરે પજુસણ પછી કાંઈક ઉન્નત જીવન બનાવવાને બદલે પાછા જ્યાં હતા ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ; અને ઘણી વાર તો હતા તે સ્થિતિ કરતાં પણ નીચે પડી કે ઊતરી જઈએ છીએ. એટલે પજુસણ જેવા ધાર્મિક દિવસોનો ઉપયોગ આપણા આધ્યાત્મિક જીવનના વિકાસમાં તો થતો જ નથી, પણ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે તેનો કશો જ ઉપયોગ કરી શકતા નથી. આપણી સર્વસાધારણની ભૂમિકા વ્યાવહારિક છે. આપણે ગૃહસ્થ હોઈ બધું જ જીવન બહિર્મુખ ગાળીએ છીએ, એટલે આધ્યાત્મિક જીવનનો તો સ્પર્શ કરવા લગભગ અશક્ત નીવડીએ છીએ. પણ જે જાતના જીવનનો વિકાસ આપણે ઇચ્છીએ છીએ અને આપણાથી સાધવો શક્ય છે તે જાતના એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનને આપણે તુચ્છ અને ઓછી કિંમતનું માની લીધું છે અને આપણે એમ લાયકાત વિના જ મોઢે કહ્યા કરીએ છીએ કે જીવન તો આધ્યાત્મિક જ ખરું છે. આવી લાયકાત વિનાની સમજથી આપણામાં નથી થતો આધ્યાત્મિક જીવનનો વિકાસ અને નથી સુધરતું સામાજિક કે રાષ્ટ્રીય જીવન. તેથી આપણે આપણા ધાર્મિક સુંદર વારસાનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જેથી આપણું સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુધરે અને, આંતરિક લાયકાત હોય તો, આધ્યાત્મિક જીવન ઉપર પણ તેની સારી અસર થાય. આ જાતનો પજુસણના દિવસોનો ઉપયોગ કરવા માટે બે વસ્તુની મુખ્ય જરૂર છે : (૧) એક તો એ કે જૈન ધર્મે પોતાના વિશિષ્ટ વારસા તરીકે કયાં ક્યાં તત્ત્વો આપણને આપ્યાં છે અને તેનો સામાજિક તેમજ રાષ્ટ્રીય કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જ્ઞાન મેળવવું; અને (૨) બીજું એ કે આપણે પજુસણની નિવૃત્તિનો ઉપયોગ એવી દિશામાં કરવો કે જેથી આપણા ઉપરાંત આપણા પડોશી ભાઈઓને અને દેશવાસીઓને ફાયદો થાય અને આપણા સામાજિક જીવનની લોકોમાં તથા રાજ્યમાં પ્રતિષ્ઠા બંધાય; આપણે હસતે મોઢે સૌની મોખરે ઊભા રહી શકીએ અને આપણા ધર્મની સરસાઈ માટે અભિમાન લઈ શકીએ. આ કારણથી અમે પજુસણનો ઉપયોગ કરવાની રીત બદલી છે. આપણામાં મુખ્ય બે વર્ગો છે : એક વર્ગ એવો છે કે તેને નવું શું, જૂનું શું, મૂળ તત્ત્વ શું વગેરેનો કશો જ વિચાર નથી. તેને જે ચીલો મળ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. એ ચીલા બહાર નજર કરવા અને પોતાની રીત કરતાં બીજી રીતે જોવામાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy