SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ..[૩૪].. જીવોના મુખ્ય બે ભેદ છે—સંસારી" અને સિદ્ધ (સૂત્ર ૧૪). સિદ્ધ એટલે મોક્ષને પામનાર =મુક્ત. આમાંથી સિદ્ધના ભેદોની જે ગણતરી છે તેમાં ખરી રીતે એ ભેદો સિદ્ધના નથી પણ સમયની અપેક્ષાઓ એટલે કે તે તે જીવ સિદ્ધ થયાને-મોક્ષ પામ્યાને-કેટલો સમય થયો તેની ગણતરીની દષ્ટિએ ભેદો કરવામાં આવ્યા છે. તેમાં જે સિદ્ધોનો તે અવસ્થાને પ્રાપ્ત કર્યાને હજી પ્રથમ સમય જ છે તેઓ જે પરિસ્થિતિને અનુસરીને સિદ્ધ થયા હોય તેને ધ્યાનમાં રાખીને તેમના પંદર ભેદ કરવામાં આવ્યા છે (સૂત્ર ૧૬). એ પંદર ભેદો પરસ્પર અત્યંત વ્યાવૃત્ત છે એમ નથી સમજવાનું, પણ પ્રથમ સમય વીત્યા પછી તો માત્ર કાળની ગણતરી જ મુખ્ય રહે છે. આથી પ્રથમ સમયના સિદ્ધોનું પારિભાષિક નામ છે—મviતરસિદ્ધ =અનન્ત સિદ્ધ = પ્રથમસમયસિદ્ધ; અને જેને બે સમય કે તેથી વધારે સમય થયા હોય તે બધા પરંવસિદ્ધ =પરસ્પરસિદ્ધ કહેવાય છે. આ પરંપરસિદ્ધોના તો અનંત ભેદો થઈ શકે છે, કારણ, અનંત સમયથી સિદ્ધો થતા આવ્યા છે (સત્ર ૧૭). અનન્ત રસિદ્ધોના જે પંદર ભેદ (સૂત્ર ૧૬) ગણાવવામાં આવ્યા છે, તેથી એક બાબત સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે જીવ કોઈ પણ ગુરુના ઉપદેશ વિના પણ મુક્ત થઈ શકે છે. તેને વેશનું બંધન નથી, જાતિનું બંધન નથી; ગમે તે વેશમાં હોય તો પણ તે મુક્તિ પામી શકે છે. સ્ત્રી હોય કે પુરુષ જાતિનો હોય તો પણ મુક્તિ પામી શકે છે. જૈનધર્મનું આ તાત્વિક રવરૂપ છે. ધર્મને કોઈ નામ આપવામાં આવ્યું નથી કે અમુક ધર્મની શ્રદ્ધા હોય તો જ તેને મુક્તિ મળે, અન્યથા નહિ, એવું કોઈ બાધક તત્વ આમાં નથી. જૈનધર્મની સ્થાપના થઈ અર્થાત ભગવાન અષભદેવે તીર્થની સ્થાપના કરી, તે પહેલાં પણ જે સિદ્ધ થયા તે અતીસિદ્ધ કહેવાય છે. જેનધર્મમાં પ્રચલિત જે વેશ છે તે વિના પણ સિદ્ધ થનાર અન્યલિંગસિદ્ધ તરીકે માન્ય છે. વળી, સાધુનો વેશ સ્વીકાર્યો ન હોય અને ગૃહસ્થના વેશમાં રહ્યા હોય છતાં પણ સિદ્ધ થયા હોય તેમને શિહિાિસિદ્ધ = હિસ્ટિસિદ્ધ કહ્યા છે. આમ જૈનધર્મનું જે તાત્ત્વિક સ્વરૂપ છે તે આથી ફલિત થાય છે. જૈનધર્મના મુખ્ય બે સંપ્રદાયો છે. તેમાં શ્વેતાંબર સંપ્રદાય તો સ્ત્રીને પણ મોક્ષ માને જ છે, પણ દિગંબર સંપ્રદાય, નગ્નતાના આગ્રહને કારણે, સ્ત્રીના મોક્ષનો નિષેધ કરવા લાગ્યો. આ નિષેધ પ્રારંભમાં હતો નહિ તેની સાક્ષી દિગંબર સંપ્રદાયના સિદ્ધાંતગ્રંથ પખંડાગમમાં છે. પરંતુ શ્વેતાંબર સાથેના વાદવિવાદને પરિણામે, વસ્ત્રના સદંતર અસ્વીકારના પરિણામ સ્વરૂપે, આચાર્ય કુંદકુંદ અને બીજાઓ સ્ત્રી મોક્ષનો નિષેધ કરવા લાગ્યા. પરિણામે પખંડાગમની ધવલા ટીકામાં તેનો પડઘો પડ્યો અને મૂળની વ્યાખ્યા જુદી જ રીતે થવા લાગી અને સામે પક્ષે સ્ત્રી મોક્ષનું સમર્થન પણ થવા લાગ્યું. આચાર્ય મલયગિરિ પ્રસ્તુત સૂત્ર (સત્ર ૧૬)ની ટીકા (પત્ર ૨૦ વ)માં સ્ત્રીમોક્ષનું સમર્થન વિસ્તારથી કરે છે, કારણ, મૂળમાં રૂથીઢિયાસિદ્ધા એવો એક ભેદ પણ સિદ્ધોને બતાવવામાં આવ્યો છે. પ્રસ્તુત પંદર ભેદમાં પદ્ધસિદ્ધ, યવૃન્દ્રસિદ્ધ અને યુદ્ધ વોહિસિદ્ધ એવા ત્રણ ભેદોનો ઉલ્લેખ છે તેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. નંદીચૂણિને આધારે આચાર્ય મલયગિરિએ જે વિવરણ આપ્યું છે તેનો સાર આ પ્રમાણે છે : સચંદ્ર = સ્વબુદ્ધ તે છે, જેઓ કોઈ પણ બાહ્ય પ્રત્યય કારણ વિના બોધિને પ્રાપ્ત કરે છે; આંતરિક કારણ જાતિસ્મરણ સંભવે છે. આ સ્વયંબુદ્ધના બે ५. संसारसमावण्णजीव =संसारसमापन्नजीव । १. असंसारसमावण्णजीव-असंसारसमापन्नजीव । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy