SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૯]... જણાવેલા ૯૯૯મા સૂત્રની ટીકાના પાઠથી જ સ્પષ્ટ છે. આ બાબતની વિશેષ ચોખવટ અમે પ્રથમ ભાગના ૨૩૭મા પૃષ્ઠની ટિપ્પણીમાં કરી છે, તે જિજ્ઞાસુઓને જેવા ભલામણ છે. પ્રસ્તુત પાઠના નિર્ણયમાં બીજો આધાર પણ અમને મળ્યો છે, જે નિશીથસૂત્રમાં આવે છે. નિશીથસૂત્રના ૧૩ મા ઉદ્દેશમાં મત્ત માજુ મસીદ મળg ૩હુવાને તેને પાણિ અને વલણ આ સૂત્રપદો છે. અહીં પણ મુખ જોવાનો વિષય પ્રસ્તુત હોઈ જેમાં જેમાં મુખ જોઈ શકાય તે તે પદાર્થો જણવ્યા છે. પ્રજ્ઞાપના સૂત્ર તથા નિશીથસૂત્રના પ્રસ્તુત સંદર્ભો જોતાં સહુવાને પાઠની એકાંત મૌલિકતા કરે છે. અહીં એક વસ્તુ જણાવીએ છીએ કે આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિજી તથા આચાર્ય શ્રી વિજયજંબુસૂરિજી દ્વારા સંપાદિત નિશીથચૂણિની સાઈકલોસ્ટાઇલ કૉપીમાં અને તદનુસારે શ્રી કમલમુનિજીએ સંપાદિત કરેલી નિશીથચૂણિની મુકિત આવૃત્તિમાં આપેલી નિશીથસૂત્રની મૂળ વાચનામાં ઉપર જણાવેલા સદુપાણેના બદલે સુની પાઠ છે અને તેના પાઠાંતરમાં પાળિg પાઠ આપ્યો છે. આ ગુફાને કે કુંડાળિg એ ૩છુપાળનું લિપિદોષથી થયેલું સ્વરૂપ છે અને તે ચૂણિની વ્યાખ્યાની અસરથી કોઈએ કલ્પીને બનાવેલો શબ્દ છે. સંશોધનમાં રસ ધરાવનાર અભ્યાસીઓની જાણ ખાતર નિશીથસૂત્રના પ્રસ્તુત પાઠના સંબંધમાં પણ સવિશેષ માહિતી આપવી ઈષ્ટ માની છે. નિશીથસૂત્રના પ્રસ્તુત સૂત્રસંદર્ભની અમે ત્રણ પ્રકારની વાચના જોઈ છે, તે આ પ્રમાણે (१) जे० मत्तए अप्पाणं देहति देहंत वा सातिजति । एवं अदाए असीए मणीए उडुपाणे तेल्ले ળિg વાળુ મા ફેતિ દેહ વ સાતિજ્ઞતિ નિશીથસૂત્રનો આ પાઠ અમે પ્રાચીન તાડપત્રીય પ્રતિઓના આધારે તૈયાર કરેલી કોપીમાંથી નોંધ્યો છે. (२) जे भिक्खू मत्तए अत्ताणं देहति दे०२ एवं जे पडिग्गहे. जे आदसए० जे० मणिम्मि० जे असिम्मि० जे० आभरणंसि० जे उद्द(डु)पाणे जे उदयकुंभे० जे महुकुं० जे तेलकुं० जे દયકું#ાળg૦ ને વાસ્તુ નિશીથસૂત્રનો આ પાઠ પાછળની એટલે અર્વાચીન નહીં પણ ૩૦૦-૪૦૦ વર્ષ પહેલાંની કેટલીક હસ્તલિખિત પ્રતિઓમાંથી અમે નોંધ્યો છે. (३) जे भिक्खू मत्तए अत्ताणं देहइ, देहंतं वा सातिजति ॥ सू० ३१॥ जे भिक्खू अदाए अप्पाणं देइइ, देहतं वा सातिजति ॥ ३२ ॥ जे भिक्खू असीए अप्पाणं देहइ, देहंतं वा सातिजति ॥३३॥ जे भिक्खू मणिए अप्पाणं देहद, देहंतं वा सातिजति ॥ ३४॥ जे भिक्खू कुड्डापाणे अप्पाण देहह, देहंतं वा सातिजति ॥ ३५ ॥ जे भिक्खू तेल्ले अप्याणं देहइ, देहतं वा सातिजति ॥३६ ॥ जे भिक्खू महुए अप्पाणं देहइ, देहतं वा सातिजति ॥ ३७॥ जे भिक्खू सप्पिए अप्पाणं देहइ, देहतं वा सातिजति ॥ ३८ ॥ जे भिक्खू फाणिए अप्पाणं देहइ, देहतं वा सातिजति ॥ ३९ ॥ जे भिक्खू मजए अप्पाणं देहइ, देहंतं वा सातिज्जति ॥ ४० ॥ जे भिक्खू वसाए अप्पाणं देहइ, હેક્ત વા કાતિન્નતિ | ૪૬ નિશીથસૂત્રનો આ પાઠ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિજી અને આચાર્ય વિજયજંબુસૂરિજી મહારાજ દ્વારા સંપાદિત થયેલી નિશીથચૂણિની સાઇકલોસ્ટાઇલ કૉપીમાંથી અને તદનુસારે શ્રી કમલમુનિજીએ સંપાદિત કરેલી નિશીથચૂણિની મુદ્રિત આવૃત્તિમાંથી અમે નોંધ્યો છે. આ પાઠમાં ૩૧ મા સૂત્રમાં આવતા મત્તાdi હેરૂ હૃર્ત આ પાઠના પાઠાંતરરૂપે મરવા વસ્ત્રો પોકૅર્ત આવો પાઠભેદ તેમ જ ૩૫ મા સૂત્રમાં આવેલા કુવાનેના પાઠાંતરરૂપે કુંવાળિg આવો પાઠભેદ શ્રી કમલમુનિજીની આવૃત્તિમાં છે. આચાર્ય વિજયપ્રેમસૂરિજીએ આ પાઠભેદ પૈકીના કુંપાણિ પાઠને પ્રત્યંતરના પાઠરૂપે નહીં પણ અર્થદર્શક ટિપ્પણીરૂપે નોંધ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy